April 20, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાના ભવન બનાવવા રૂા.5.પ0 લાખની ફાળવણીથી કરેલી શુભ શરૂઆત

ડેલકર પરિવાર દ્વારા ગૌશાળા માટે રૂા.1.પ0 લાખનું દાન અને સાંસદનિધિના ફંડની ફાળવણી તથા ગૌશાળાનો કાર્યક્રમ પોતાના પિતા સ્‍વ.મોહનભાઈ ડેલકરની શ્રદ્ધાંજલિ સ્‍વરૂપ હોવાની શિવસેના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકરે વ્‍યક્‍ત કરેલી લાગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27
દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાથી શરૂ કરી રૂા. 05 લાખ 50 હજારના ફંડની ફાળવણી ગૌશાળાને કરી એક શુભશરૂઆતનો પ્રારંભ કર્યો હોવાની લાગણી પણ વહેતી થઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, શીવસેનાના પ્રદેશ પ્રમુખ શ્રી અભિવન ડેલકર તથા સાંસદના દીકરી દિવીતાએ સમર્પણ સ્‍મૃતિ સપ્તાહ અંતર્ગત સેલવાસ ખાતે આવેલી ગૌશાળાની મુલાકાત લઈ ગૌપૂજા પણ કરી હતી.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે દાનહના કલેક્‍ટરને સાંસદનિધિની સ્‍વીકૃતિ માટે પાઠવવામાં આવેલ પત્રમાં લાવારીસ ગાયોની સારી રીતે દેખભાળ અને સુરક્ષા માટે ગૌશાળા ભવન બનાવવા રૂા. 05 લાખ પ0 હજારની ફાળવણી કરી હોવાનું જણાવ્‍યું છે. ડેલકર પરિવાર દ્વારા પોતાના તરફથી પણ રૂા. 1લાખ પ0 હજારના દાનનો ચેક ગૌશાળાના સંચાલકોને એનાયત કરવામાં આવ્‍યો હતો.
શીવસેનાના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી અભિનવ ડેલકરે ગૌશાળાનો કાર્યક્રમ, સાંસદનિધિનું ફંડ તથા ડેલકર પરિવાર દ્વારા આપવામાં આવેલ એ તેમના પિતા અને સાંસદ સ્‍વ. શ્રી મોહનભાઈ ડેલકરની શ્રદ્ધાજંલિ સ્‍વરૂપ હોવાની લાગણી પણ વ્‍યક્‍ત કરી હતી.

Related posts

દાનહની સનાતન કંપની દ્વારા વર્કરો સાથે થતા ગેરવર્તણુંક અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

આલોક પબ્‍લિક સ્‍કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત દાનહનો સંદેશ આપ્‍યો

vartmanpravah

દમણના ઉમંગ ટંડેલની ગુજરાતની અંડર-23 ટીમમાં વન-ડે ક્રિકેટ ટુર્નામેન્‍ટ માટે પસંદગી

vartmanpravah

દમણ પોલીસે દાભેલની એક દુકાનમાં પાડેલા દરોડામાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્‍થો બરામદ કરવા મળેલી સફળતા: ત્રણ આરોપીઓની ધરપકડઃ ગાંજા, ચરસ, હેરોઈન જેવા ડ્રગ્‍સનું દમણમાં વધી રહેલું દૂષણ

vartmanpravah

ફક્‍ત માહ્યાવંશી સમાજમાં જ નહીં, સર્વ સમાજમાં વિષ્‍ણુભાઈ દમણિયાના વિચારો ગુંજતા રહેશે – દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્‍થાપક પ્રમુખ વિષ્‍ણુભાઈ એફ. દમણિયાની યોજાયેલી શોકસભા

vartmanpravah

દીવવાસીઓ માટે ખુશખબરઃ પોર્ટુગલ એજેન્‍સીએ દીવમાં સાત દિવસીય કેમ્‍પનું કરેલું આયોજન

vartmanpravah

Leave a Comment