(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27
ભારત સરકારે પલ્સ પોલિયો પ્રતિરક્ષણ દિવસ તરીકે ઘોષિત કરવામા આવ્યો હતો. આઠ વર્ષથી દેશમા પોલિયોની શૂન્યની ઉપલબ્ધી બનાવી રાખી છે,પોલિયોના એક વિષાણુથી થતી બીમારી છે, જમાં પીડિત બાળક આખી જિંદગી માટે અપંગ બની જાય છે,
દર વખતની જેમ આ વર્ષે પણ દરેક 0 થી 5 વર્ષના બાળકોને બે ટીપા પોલિયો પીવડાવવામા આવ્યા હતા, ચિકિત્સા અને આરોગ્ય વિભાગ દાનહએ શહેરી અને ગ્રામીણ ક્ષેત્રમાં સો ટકા કવર કરવા માટે 330 બુથ,13 મોબાઈલ ટીમ અને 6 પારગમન ટીમોની પસંદગી કરવામા આવી હતી. દરેક બાળકને કવર કરવા માટે પારગમન દળ મુખ્ય સાર્વજનિક વિસ્તાર જેવા કે એસટી બસ સ્ટેન્ડ, બજાર, મેળા જેવા સ્થળ પર જશે, દરેક પોલિયો બુથ પર રવિવારના રોજ સવારે 8:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી ચાલુરાખવામા આવ્યું હતુ઼.
જેમા 36356 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામા આવ્યા હતા. પ્રદેશમા 80 ટકા બાળકોને કવર કરવામા આવ્યા છે. આરોગ્ય વિભાગ સાથે સ્વયંસેવકો અને એનજીઓને પણ ટીકાકરણ દિવસે સો ટકા કવરેજ સુનિヘતિ કરવા માટે સામેલ કરવામા આવ્યા હતા.
Previous post