Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહના કૌંચા ગામેઆરડીસી ચાર્મી પારેખના હસ્‍તે ‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર’નું ઉદ્‌ઘાટન કરાયું

હવે દાનહના આદિવાસીઓ ગિલોય, બહેડા, શતાવરી, ગોરખમુંડી, પલાશના ફૂલો સહિત આવા 87 પ્રકારના વન ઉત્‍પાદનોને ‘વન ધન વિકાસ કેન્‍દ્ર’ના સભ્‍યો દ્વારા એકત્રિત કરી ક્‍લસ્‍ટર પર વેચી વધુ આવક રળી શકશે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03
દાદરા નગર હવેલીના કૌંચા કરચોણ ગામે નવનિર્મિત ‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર(વી.ડી.વી.કે.)’નું ઉદ્‌ઘાટન આરડીસી સુશ્રી ચાર્મી પારેખના હસ્‍તે રિબીન કાપી દીપ પ્રાગટ્‍ય કરી કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ આ પ્રસંગે ઉપસ્‍થિત દરેક ‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર(વી.ડી.વી.કે.)ને બેન્‍ક પાસબુક અને ટુલકીટ વિતરણ કરવામા આવી હતી. ત્‍યારબાદ આરડીસી સુશ્રી ચાર્મી પારેખે તેમના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું કે ચાલુ નાણાંકીય વર્ષ 2021-’22માં પ્રધાનમંત્રી ‘વન ધન યોજના’ અંતર્ગત દાનહમાં ‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર’ સ્‍થાપિત કરવાની સ્‍વીકૃતિ અનુસૂચિત/જનજાતિ મંત્રાલય-ભારત સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવી જેના અંતર્ગત 20-20 સભ્‍યોવાળા 15 કેન્‍દ્રો સ્‍થાપિત કરવાના હતા જેનું રાજ્‍ય એજન્‍સી અનુસૂચિત જાતિ/ જનજાતિ નિગમ દ્વારા આ સપનુ સાકાર કર્યુ હોવાની જાણકારી આપી હતી.
દર વર્ષે જંગલોમાં જોવા મળતા કિંમતી વન ઉત્‍પાદન જે બેકારથઈ જતા હતા હવે ક્‍લસ્‍ટરના સ્‍થાપનાને કારણે ગિલોય, બહેડા, શતાવરી, ગોરખમુંડી, પલાશના ફૂલો વગેરે આવા 87 પ્રકારના વન ઉત્‍પાદનોને વન ધન વિકાસ કેન્‍દ્રના સભ્‍યો દ્વારા એકત્રિત કરી ક્‍લસ્‍ટર પર વેચશે જેનાથી આ લોકોની વધુ આવક થશે.
ભારત સરકાર દ્વારા નિર્ધારિત ન્‍યુનતમ સમર્થન મૂલ્‍ય પર (એમએસપી) વન ઉત્‍પાદોને કેન્‍દ્ર પર ખરીદવામાં આવશે, ત્‍યારબાદ તેની સફાઈ, છુટા પાડવાની પ્રક્રિયા, મિલિંગ, પેકેજીંગ અને બ્રાન્‍ડિંગ કરી ટ્રાઈફેડના સહયોગથી બજારમાં ગ્રાહકોને વેચવામાં આવશે.
‘વન ધન વિકાસ કેન્‍દ્ર ક્‍લસ્‍ટર’ સ્‍થાપિત થવાને કારણે અહીંના આદિવાસી ભાઈઓ અને બહેનોને હવે વન ઉત્‍પાદનથી લાભ થશે અને વન ઉત્‍પાદન નષ્ટ થતાં પણ બચશે. આવનાર સમયમાં આ વન ઉત્‍પાદન અહીંના લોકોની આર્થિક ઉન્નતિનો માર્ગ ખોલશે. આ અવસરે ‘વન ધન વિકાસ કેન્‍દ્ર’ના પદાધિકારીઓ, સભ્‍યો બેન્‍ક ઓફ બરોડા આરસેટીના મેનેજર શ્રી સુનિલ માલી, નિગમના પ્રબંધક અંબિકા સિંહ, સરપંચ, પંચાયત સભ્‍યો સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

અતુલ ખાતે ટેમ્‍પાનું ટાયર ફાટતાં સામેના ટ્રેક પર જઈ બ્રિજ પર લટક્‍યો: સામેના ટ્રેક પર ઘસી જઈ બે કાર અને એક ટેમ્‍પાને અડફટે લીધા

vartmanpravah

ભાજપ સોશિયલ મીડિયાટીમના સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા આપેલી સૂચના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.10: આજે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ્‌ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ જિલ્લા મહામંત્રી શ્રી શિલ્‍પેશભાઈ દેસાઈ અને શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા સોશિયલ મીડીયા ઈન્‍ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, શ્રી સત્‍યેનભાઈ પંડયાની ઉપસ્‍થિતિમાં જિલ્લા આઈ.ટી. સોશિયલ મીડિયા ટીમના મહત્‍વના વિષય એવા સરલ એપ, નમો એપ, ફેસબુક, ટ્‍વીટર, ઈન્‍સ્‍ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પાર્ટીના વિસ્‍તારનો વધારો કરી જન જન સુધી પહોંચવા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા દ્વારા ખાસ સૂચનો કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સ્‍નેહિલભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી મયંકભાઈ પટેલ સહિત મંડળના ઈન્‍ચાર્જ, સહઈન્‍ચાર્જ વગેરે ઉપસ્‍થિત રહી પ્રમુખશ્રીની સૂચનાને અનુમોદન આપ્‍યું હતું.

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિની પ્રભારીઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલ કારોબારી સમિતિની બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે થયેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

મરવડ યુવક મંડળ દ્વારા શ્રી ચિબડી માતાજીના 21મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીમાં રમાબાઈ મહિલા બ્રિગેડ દ્વારા સાવિત્રીબાઈ ફુલે અને ફાતિમા શેખની જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક, તત્‍કાલિન કલેક્‍ટર સહિત એફ.આઈ.આર.માં સામેલ તમામને રાહત – મુંબઈ હાઈકોર્ટે મોહન ડેલકર આત્‍મહત્‍યા પ્રકરણમાં નોંધાયેલી એફ.આઈ.આર. રદ્‌ કરવા જારી કરેલો આદેશ

vartmanpravah

Leave a Comment