October 14, 2025
Vartman Pravah
Breaking News

આજથી ઈગ્નૂ સત્રાંત પરીઓની શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.03
ઈંદિરા ગાંધી રાષ્‍ટ્રીય વિશ્વ વિદ્યાલય (ઈગ્નૂ)ની સત્રાંત પરીક્ષા (ટર્મ એન્‍ડ એક્‍ઝામિનેશન ડિસેમ્‍બર-2021) 4 માર્ચ 2022થી શરૂ થઈ રહી છે. આ પરીક્ષા દેશભરના 800પરીક્ષા કેન્‍દ્રોની સાથે સાથે વિદેશોના 19 પરીક્ષા કેન્‍દ્રો પર યોજાઈ રહી છે. ઈગ્નૂ પ્રાદેશિક કેન્‍દ્ર, અદમદાવાદ (09) હેઠળ 12 પરીક્ષા કેન્‍દ્રો બનાવાયા છે. જેમાંથી એક સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના રાજકીય મહાવિદ્યાલય, દમણ સ્‍થિત ઈગ્નૂ પરીક્ષા કેન્‍દ્ર, દમણ (2901) પણ સામેલ છે.
મહિનાભર સુધી દરરોજ બે સત્રો (ક્રમશઃ સવારનું સત્રઃ 10 થી 12 વાગ્‍યે અને સાંજનું સત્રઃ 2 થી 5 વાગ્‍યા સુધી)માં આયોજીત થનારી આ સત્રાંત પરીક્ષામાં ભાગ લેનારા પરીક્ષાર્થીઓ ત્ર્દ્દદ્દષ્ટતઃ//શઁિંંયર્.ીણૂ.શઁ ના ત્ર્દ્દદ્દષ્ટતઃ//શઁિંંયત્રર્્ીશ્રશ્ર.શઁિંંયર્.ીણૂ.શઁ/ ર્ણ્‍ીશ્રશ્રવ્‍શણૂત્ત્ફૂદ્દત/ત્રર્્ીશ્રશ્ર1221/ત્રર્્ીશ્રશ્ર1221ર્.ીતષ્ટ ઉપરથી પોતાની હોલ ટિકટ ડાઉનલોડ કરી શકે છે.
પરીક્ષામાં સામેલ થવા પહેલાં પરીક્ષાર્થીઓને તેમના હોલ ટિકટમાં આપવામાં આવેલ પરીક્ષામાં બેસવા સંબંધી લાયકાતો બાબતે જરૂરી દિશા-નિર્દેશોને ધ્‍યાનપૂર્વક વાંચી લેવું જોઈએ. પરીક્ષા દરમિયાન તેમને ઈગ્નૂ હોલ ટિકટ અને ઈગ્નૂ ઓળખ પત્ર (આઈડેન્‍ટિટી કાર્ડ) સાથે રાખવો પડશે. પરીક્ષા ભવનમાં મોબાઈલ ફોન અને અન્‍ય ઈલેક્‍ટ્રોનિક ગેઝેટ્‍સ પ્રતિબંધિત છે.
પરીક્ષા દરમિયાન ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ કોવિડ-19 સંબંધી ધારાધોરણોનું કડકાઈથી પાલન કરવામાં આવશે. તેથી પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્‍દ્રમાં અનિવાર્યરૂપથી માસ્‍કપહેરેલા રાખે અને યોગ્‍ય સામાજિક દૂરીનું પાલન કરે. પરીક્ષા કેન્‍દ્ર સાથે સંબંધિત કોઈપણ પરેશાનીના સંબંધમાં પરીક્ષાર્થી સંબંધિત પ્રાદેશિક કેન્‍દ્રને ઈ-મેઈલ અને ફોન દ્વારા તાત્‍કાલિક સંપર્ક કરી શકે છે.

Related posts

વલસાડ જિલ્લામાં મેલેરિયાના 6 અને ડેન્‍ગ્‍યુના 12 કેસ નોંધાયાઃ જિલ્લાના તમામ તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્‍સ કામગીરી પૂરજોશમાં

vartmanpravah

જર જમીનને જોરું ત્રણેય કજીયાના છોરું: રોહિણામાં ઘર બનાવવા પૈસા માંગનારા પુત્રને પિતાએ કુહાડીથીફ રહેંસી નાખ્‍યો

vartmanpravah

‘અબકી બાર 400 કે પાર’: મિશન-2024નો દમણથી પ્રદેશ ભાજપે કરેલો પ્રારંભ = દમણ-દીવની લોકસભા બેઠક 40 હજાર કરતા વધુ મતોની સરસાઈથી જીતવા લક્ષ્યાંક

vartmanpravah

દાનહઃ ખુશ્‍બુ કંપનીના વર્કરોએ પગાર વધારા મુદ્દે લેબર ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

વાપી છરવાડા અંડરપાસ, હાઈવે અને રેલવે આસપાસની ટ્રાફિક સમસ્‍યા નિરાકરણ માટે પોલીસ અને ઉચ્‍ચ અધિકારીઓએ ફોર્મ્‍યુલા બનાવી

vartmanpravah

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

Leave a Comment