Vartman Pravah
Breaking Newsદમણ

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોએ દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

દમણ ઉદ્યોગ સંઘને લગતા અનેક મહત્‍વના મુદ્દાઓ ઉપર થયેલી ચર્ચા-વિચારણા : દમણ જિ.પં.વતી બની શકે એ તમામ સહયોગ આપવાની પ્રમુખ નવિનભાઈ પટેલે આપેલી ખાતરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોએ દમણ જિલ્લાપંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ શ્રી નવીનભાઈ રમણભાઈ પટેલ સાથે શુભેચ્‍છા મુલાકાત ઉદ્યોગોને લગતા મહત્‍વના મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણા કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને આજે દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ શ્રી નવીનભાઈ રમણભાઈ પટેલને મળ્‍યા હતા. આ પ્રસંગે, ડીઆઈએના પ્રમુખ શ્રી પવન અગ્રવાલ, સેક્રેટરી શ્રી સિંહ, જોઈન સેક્રેટરી શ્રી રાજકુમાર લોઢા, ટ્રેઝરર શ્રી આર કે શુક્‍લાએ નવીનભાઈ પટેલનું પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કર્યું હતું. તેમજ નવી જવાબદારી મળવા બદલ ડીઆઈએએ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલને શુભેચ્‍છા પાઠવી હતી.
દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ટીમે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ સાથે દમણ ઉદ્યોગ સંઘને લગતા અનેક મહત્‍વના મુદ્દાઓ ઉપર વાતચીત કરી હતી. જે દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલે, ડીઆઈએની ટીમને જીલ્લા પંચાયત વતી ઉદ્યોગને બની શકે એ તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
ઉપરાંત શ્રી નવીનભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારત અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આત્‍મનિર્ભર સંઘપ્રદેશ થ્રીડી બનાવવાના સ્‍વપ્‍નને સાકાર કરવા અને સ્‍વચ્‍છતા અભિયાનમાં સંપૂર્ણ સહકાર આપવા આશ્વાસન આપ્‍યું હતું.

Related posts

ઇજિપ્તની કેરો યુનિવર્સિટીના પ્રસૂતિ અનેસ્ત્રી રોગ વિજ્ઞાનના આંતરરાષ્‍ટ્રીય પ્રોફેસર ડૉ. ઓસામા શૉકી દ્વારા દાનહની નમો તબીબી શિક્ષણઅને સંશોધન સંસ્‍થામાં ‘‘માસ્‍ટરિંગ ધ ટેકનિક ઈન હિસ્‍ટેરોસ્‍કોપી એન્‍ડ લેપ્રોસ્‍કોપી” વિષય પર આંતરરાષ્‍ટ્રીય સ્‍તરની લાઇવ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

દાનહ સાયલી ગામે 11 વર્ષનો બાળક નહેરમાં તણાઈ જતા મોત

vartmanpravah

116 યુનિટ રક્‍તદાન દ્વારા કરાયેલી નવા વર્ષની ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

સેલવાસમા ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા આયોજીત ભાગવત કથા સપ્તાહનું સમાપન કરાયું

vartmanpravah

Leave a Comment