Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ચીફ ઓફ સ્‍ટાફ એડમિરલ આર. હરી કુમાર સાથે પ્રદેશના હિતની કરેલી ચર્ચાવિચારણા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની દિલ્‍હી મુલાકાત દરમિયાન કેન્‍દ્રીય ગ્રાહક વિષયક, ખાદ્ય અને જાહેર વિતરણ, કપડા, વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલની સાથે મુલાકાત કરી દાદરા નગર હવેલી, દમણ-દીવ અને લક્ષદ્વીપના વિકાસ બાબતે ચર્ચા-વિચારણા કરી હતી.
આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ચીફ ઓફ ધ નેવલ સ્‍ટાફ એડમિરલ રાધાક્રિષ્‍નન હરી કુમાર પીવીએસએમ, એવીએસએમ, વીએસએલ, એડીસીની મુલાકાત કરી લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલી તથા દમણ-દીવના વિવિધ મહત્‍વપૂર્ણ મુદ્દાઓ બાબતે ચર્ચા વિચારણા કરી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ચીફ ઓફ નેવલ સ્‍ટાફ એડમિરલ શ્રી હરી કુમારને સહયાત્રા કોફી ટેબલ બુક અને બ્રાઉન રાઈસની પણ શુભેચ્‍છા ભેટ આપી હતી.

Related posts

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

vartmanpravah

મોદી સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણી કાર્યનો પ્રારંભ પરિયારી ગામથી કરાશે : આજે જન જાગૃતિ માટે પરિયારી કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન

vartmanpravah

દાનહમાં ભાજપ સંગઠનના ફાટેલા આભને પ્રદેશ પ્રભારીએ થિંગડા મારવા શરૂ કરી કોશિષ

vartmanpravah

ચીખલીના નોગામા ગામે બે યુવાનોએ એક યુવકનું ગળુ દબાવી હત્‍યા કરતા ચકચારઃ બંને યુવાનોની ધરપકડ

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે

vartmanpravah

ચીખલી-વાંસદા માર્ગ ઉપર થાલામાં નડતરરૂપ વીજ પોલ ન ખસેડાતા વાહન વ્યવહારમાં અવરોધ સાથે અકસ્માતની સેવાઈ રહેલી ભીતિ

vartmanpravah

Leave a Comment