Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ બરકરાર: હવે સંઘપ્રદેશના આકાશને આંબતા વિકાસને કોઈ રોકી નહી શકે

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતાની પાંચ દિવસની દિલ્‍હી મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અન્‍ય વરિષ્‍ઠ મંત્રીઓ સમક્ષ દાદરા નગર હવેલી, દમણ-દીવ અને લક્ષદ્વીપના વિકાસની રજૂકરેલી તસવીર ઉપર મારેલી મહોર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 07
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની પાંચ દિવસની દિલ્‍હી મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહ સહિત અન્‍ય વરિષ્‍ઠ મંત્રીઓ સાથે બેઠક કરી દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના સર્વાંગી વિકાસ ઉપર મહોર મરાવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ ગત તા. 03 થી 07 માર્ચ દરમિયાન દિલ્‍હીની સત્તાવાર મુલાકાતે હતા. આ મુલાકાત દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, ગૃહમંત્રી તથા રક્ષામંત્રી અને આરોગ્‍ય પરિવાર કલ્‍યાણ તથા રસાયણ અને ફર્ટીલાઈઝર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, કપડા, વાણિજ્‍ય, ઉદ્યોગ, ગ્રાહક વિષયક, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પિયુષ ગોયલ અને રાજ્‍યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, રેલ્‍વે મંત્રી, સંચાર અને ઈલેકટ્રોનિક્‍સ અને આઈ.ટી.મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ અને પર્યાવરણ, વન અને જલ વાયુ પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્‍દ્ર યાદવ સાથે બેઠક કરી દાદરા નગર હવેલી, દમણ-દીવ અને લક્ષદ્વીપના વિવિધ વિકાસકામો ઉપર વિસ્‍તૃત ચર્ચા કરી હતી. તમામ મંત્રીઓએ પ્રદેશના વિકાસ લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે પૂરોસહયોગ અને સમર્થન આપવાનું પણ આશ્વાસન આપ્‍યું હતું.
અત્રે નોંધનીય છે કે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ-દીવ અને લક્ષદ્વીપ ઉપર પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સીધી નજર હોવાની સાથે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા થઈ રહેલા વિવિધ વિકાસના કામો અને સુધારાઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોવાના કારણે આવતા દિવસોમાં બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોનો આકાશને આંબતો વિકાસ થશે એવો વિશ્વાસ પણ પ્રગટ થઈ રહ્યો છે.

Related posts

દુણેઠા પંચાયત સામે યુ.પી.ના એક ઈસમે ઝાડ સાથે ગળે ફાંસો લગાવી કરેલો આપઘાત

vartmanpravah

આજે સેલવાસથી કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી અભિયાન’નો આરંભ કરાવશે

vartmanpravah

નવયુગ ગ્રુપ દમણ રાણા શેરીના રહેવાસીઓએ ભાજપ નેતા વિશાલભાઈ ટંડેલના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશમાં ઉત્તર ભારતીય હિન્‍દુ સમાજ દ્વારા આયોજીત ઉત્તર ભારતીય પ્રીમિયર લીગ સીઝન-1નું સમાપન : વિષ્‍ણુ ઇલેવન વિજેતા પ્રયાગ ટાઈગર્સની ટીમ ઉપ વિજેતા

vartmanpravah

ગુજરાત એન.એસ.યુ.આઈ.એ કોંગ્રેસ ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી દશરથ કડુની વરણી કરવામાં આવી છે

vartmanpravah

વાપી, અતુલ, વલસાડમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા પરંપરાગત સૂર્ય દેવતાને અર્ક ચઢાવી કરેલી છઠ્ઠ પૂજાની ઉજવણી

vartmanpravah

Leave a Comment