Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

દિલ્‍હીના મુખ્‍યમંત્રીનું ટ્‍વીટ : ગભરામણ કે રાજકીય  સોગઠી ? 

દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલના પદમાં રહેલી અમર્યાદિત વહીવટી ઈચ્છાશક્‍તિનો ઉપયોગ લોક કલ્‍યાણ માટે કરવા  પ્રફુલભાઈ પટેલની મહારથ : પ્રધાનમંત્રીએ લક્ષદ્વીપ માટે કરેલા પ્રયોગનું મળેલું હકારાત્‍મક પરિણામ 

રાજકારણમાં શાસક પક્ષો દ્વારા પોતાના જન સમર્થનને વધારવા પેઈડ કાર્યકર્તાઓના શરૂ થયેલા દોરથી સરકારી તિજોરી ઉપર પડતા ભારણની સમીક્ષા કરવા એલ.જી.પાસે નૈતિક અને વહીવટી તાકાત પણ હોવી જોઇએ

સોમવારની સવાર

દિલ્‍હીના મુખ્‍યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલે ગઈકાલ તા. 12મી, માર્ચના રોજ બપોરના 2:29 વાગ્‍યે ટ્‍વીટ કર્યુ હતું કે, ‘‘શું લક્ષદ્વીપના પ્રશાસક શ્રીમાન પ્રફુલ પટેલ દિલ્‍હીના અગામી એલ.જી.બની રહ્યા છે?” આ ટ્‍વીટથી સંઘપ્રદેશ સહિત સમગ્ર દેશમાં પણ એક ચર્ચા છેડાવા લાગી છે કે, દિલ્‍હીના મુખ્‍યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલથી ડરે છે કે કેમ? અથવા ઈરાદાપૂર્વક આ મુદ્દાને ઉછાળી પોતાની રાજકીય જમીન વિસ્‍તારવા માંગે છે કે કેમ?

અત્રે નોંધનીય છે કે,દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ પાસે   સરકારની તમામ સત્તા કેન્‍દ્રીત છે. જે પ્રમાણે લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલી તથા દમણ-દીવમાંપ્રશાસક તરીકેની પોતાની સત્તાનો ઉપયોગ કરી શ્રી પ્રફુલભાઈ પટેલે કરેલા પરિવર્તનો આંખની સામે છે. લક્ષદ્વીપમાં તદ્દન વિપરીત પરિસ્‍થિતિ હોવા છતાં પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે એક પછી એક શરૂ કરેલા રી-ફોર્મના કારણે પડોશના રાજ્‍ય કેરલ જ નહી, પરંતુ પડોશનું રાષ્‍ટ્ર માલદીવની પણ બોલતી બંધ થઈ ચૂકી છે અને આવતા દિવસોમાં વૈશ્વિક પ્રવાસનનો મોટો હિસ્‍સો લક્ષદ્વીપ પડાવી લેશે એવો ડર પણ માલદીવને બેઠો છે.

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ કે દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં આવતા તમામ પ્રશાસકોએ પોતાની સત્તાનો ઉપયોગ ખુબ જ સિમિત રીતે કર્યો હતો. જેના કારણે આ પ્રદેશોમાં ભ્રષ્‍ટાચાર, ભાઈગીરી, સગાવાદ જેવા અનેક દુષણો પેદા થયા હતા. જેના પરિણામે વિકાસની વ્‍યાખ્‍યા રોડ, લાઈટ અને પાણી સુધી મર્યાદિત બની ચૂકી હતી. પરંતુ પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ તેમણે એક પછી એક શરૂ કરેલા પ્રોજેક્‍ટોના કારણે લક્ષદ્વીપ તથા દાદરા નગર હવેલી અને દમણ-દીવને પોતાની એક નવી વૈશ્વિક ઓળખ મળી છે.

દિલ્‍હીના મુખ્‍યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલને ડર એ વાતનો છે કે શ્રી પ્રફુલભાઈ પટેલ જેવા એલ.જી.ની નિમણૂક કરવામાં આવી તો તેમની ટોળકી દ્વારા થતા વહીવટ ઉપર રોક લાગશે. રાજકારણમાં પેઈડ કાર્યકર્તાઓનો જે દોર શરૂ થયોછે, તેના ઉપર પણ શ્રી પ્રફુલભાઈ પટેલ જેવા એલ.જી. નવી રૂપરેખા આપી શકે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી હંમેશા વ્‍યાપક પ્રજા હિતને ધ્‍યાનમાં રાખી નિર્ણય લેવા માટે ટેવાયેલા છે. ત્‍યારે, દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ પદે કોઈની પણ નિમણૂક કરે પરંતુ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે હજુ બે વર્ષ શ્રી પ્રફુલભાઈ પટેલ જ રહેવા જોઈએ એવો વ્‍યાપક જનમત છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના સાડા પાંચ વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ બે વર્ષનો સમયગાળો કોરોના મહામારીના કારણે બિનઉત્‍પાદક રહેવા પામ્‍યો છે. જેની અસર દાદરા નગર હવેલી અને દમણ-દીવના થઈ રહેલા  પરિવર્તન ઉપર પણ પડી છે. હવે સંઘપ્રદેશ પ્રશાસનના  ઉચ્‍ચ અધિકારીઓના બદલાયેલા વર્ક કલ્‍ચરની અસર તેમના સ્‍ટાફ ઉપર પણ પડી છે. પ્રશાસનના ઉચ્‍ચ અધિકારીઓ પોતાની એ.સી. ચેમ્‍બર છોડી દુરના ગામડાઓમાં લોકોની પાસે જતા થયા છે. હવે લોકો પ્રશાસન પાસે નહી, પરંતુ પ્રશાસન લોકો પાસે પહોંચી રહ્યું છે. હજુ ક્‍યાંક ક્‍યાંક ત્રુટીઓ અવશ્‍ય છે પરંતુ જ્‍યારે સમગ્ર પ્રશાસનમાં હકારાત્‍મકતાનો જોશ જામેલો છે ત્‍યારે, બાકી રહેલા વિભાગોમાં પણ પરિવર્તન આવશે એવો જુસ્‍સો અધિકારીઓ અને સરપંચ, કાઉન્‍સિલર તથા  જિલ્લા પંચાયતના સભ્‍યો જેવાજનપ્રતિનિધિઓમાં પણ દેખાય છે.

સોમવારનું સત્‍ય

જ્‍યારે ગોવા, દમણ અને દીવનું સંયુક્‍ત શાસન હતું ત્‍યારે ગોવાના પણજીમાં બેસી ઉપ રાજ્‍યપાલ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક તરીકેનો વહીવટ સંભાળતા હતા. શ્રી પ્રફુલભાઈ પટેલને દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ તરીકે નિયુક્‍ત કરવામાં આવે અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક તરીકેનો વધારાનો અખત્‍યાર પણ તેમની પાસે રહે તો  તેઓ દિલ્‍હીથી પણ આ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ ખુબ જ સરળતાથી સંભાળી શકે છે. 

Related posts

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણનું 88.49 અને દીવનું 94.86 ટકા આવેલું પરિણામ

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા દાદરામાં છ જગ્‍યા પર, આંબોલી પટેલાદમાં ત્રણ જગ્‍યા પર ડીમોલીશન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં દમણની માછી મહાજન શાળાનો દબદબોઃ શાળાના વિદ્યાર્થી નિસર્ગ દિવેચા પ્રદેશમાં પ્રથમ પેટાઃ દર વખતની જેમ આ વર્ષે પણ ફિઝિક્‍સ અને કેમેસ્‍ટ્રીએ વિદ્યાર્થીઓને રડાવ્‍યાઃ ગત વર્ષની તુલનામાં આ વર્ષે પ્રદેશનું પરિણામ નીચું રહ્યું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 ગુજરાત ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં દમણ જિલ્લાનું 55.04 ટકા, દીવ જિલ્લાનું 33.89 અને દાદરા નગર હવેલી જિલ્લાનું પરિણામ 57.14 ટકા રહ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 85.69 ટકા સાથે પ્રદેશમાં પ્રથમ આવવાનું બહુમાન શ્રી માછી મહાજન હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચાને પ્રાપ્ત થયું છે. જ્‍યારે પ્રદેશમાં દ્વિતીય સ્‍થાને સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની કુ. ઈશા સુરેશ પટેલ 83.40 ટકા અને તૃતિય સ્‍થાને દાદરાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. ઈશા રાજેશ સિંઘ રહી હતી. દમણ અને દીવ જિલ્લાનું પરિણામ ગયા વર્ષ કરતાંઓછું રહેવા પામ્‍યું છે. આ પરિણામને શ્રી માછી મહાજન સ્‍કૂલના બે વિદ્યાર્થીઓએ બાજી મારી દમણ-દીવમાં પ્રથમ ક્રમમાં જગ્‍યા બનાવી છે. દમણના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલ માહિતી પ્રમાણે દમણની સરકારી અને ખાનગી સ્‍કૂલના 476 વિદ્યાર્થીઓએ 12 સાયન્‍સની પરીક્ષા આપી હતી. જે પૈકી 262 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા છે અને 214 વિદ્યાર્થીઓ અનુત્તિર્ણ રહ્યા છે. ભીમપોરની સરકારી શાળાના 17 વિદ્યાર્થીઓ પૈકી 16 વિદ્યાર્થીઓ પાસ થયા છે. મહાત્‍મા ગાંધી મેમોરિયલ ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત સાર્વજનિક વિદ્યાલયના 257 વિદ્યાર્થીઓમાંથી 117 પાસ થયા છે જ્‍યારે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ફાતિમા સ્‍કૂલના 65માંથી 50 વિદ્યાર્થીઓ, હોલી ટ્રીનિટીના 18માંથી 7, શ્રીનાથજી સ્‍કૂલના 14માંથી 4 વિદ્યાર્થીઓ સફળ થઈ શક્‍યા છે. દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલના 18 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 6 વિદ્યાર્થીઓ જ પાસ થઈ શક્‍યા છે. માછી મહાજન સ્‍કૂલના 87માંથી 62 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્‍યારે દીવ જિલ્લામાં 180 વિદ્યાર્થીઓ પૈકી 61 પાસ થયા છે. સમસ્‍ત દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શ્રી માછી મહાજન સ્‍કૂલનો વિદ્યાર્થી શ્રી નિસર્ગ કમલકાંત દિવેચા પ્રથમ આવતાં પોતાની શાળા અને દમણ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે.

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વેક્સિન કેમ્‍પ યોજાયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાનના પગલે પ્રશાસકશ્રીના દિશા-નિર્દેશમાં દીવ જિલ્લાને કુપોષણ મુક્‍ત બનાવવા ચલાવાઈ રહેલી વ્‍યાપક ઝુંબેશ

vartmanpravah

દાનહની દેમણી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment