August 31, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
દાદરા નગર હવેલી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ખેતીવાડી ટ્રેનિંગ સેન્‍ટર ડોકમરડી ખાતે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેનો શુભારંભ ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે દીપ પ્રાગટય કરી કરવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ વન સ્‍ટોપ સેન્‍ટર અને મહિલા શક્‍તિ કેન્‍દ્રની લાભાર્થી મહિલાઓએ પોતાના અનુભવો જણાવ્‍યા, બાદમાં લાભાર્થી રહેલ અનેસંતોષ પામી બીજી મહિલાઓની જિંદગી સુધારવા આગળ આવી હોય અને પોતાના પાડોશી બહેનોને અત્‍યાચાર સહન ના કરવા માટે મદદ કરી અને તેમને સેન્‍ટર પર લાવેલ એવી સાહસિક મહિલાને સન્‍માનપત્ર આપી તેમને સન્‍માનિત કરવામા આવી હતી.
બાદમાં ભારતના સર્વશ્રેષ્ઠ વન સ્‍ટોપ સેન્‍ટરની યાદીમા પોતાની સંસ્‍થાનું નામ પોતાના કાર્યના આધારે નોંધાવવા બદલ અધિકારી ગણની ટીમનું સન્‍માન પત્ર આપી સન્‍માન કરવામા આવ્‍યં. ત્‍યારબાદ દિવ્‍યાંગ મહિલા લાભાર્થીને એલિમકો કંપની તરફથી પ્રાપ્ત કરેલ સહાયક ઉપકરણ આપવામા આવ્‍યા બાદમાં કુપોષિત બાળકોને ડાબર ચ્‍યવનપ્રાશ અને ફળોના રસના પેકેટ આપવામા આવ્‍યા હતા. સાથે સાથે લાભાર્થી બહેનોને બધાઈ કીટ આપવામા આવી હતી. ત્‍યારબાદ ઉર્વશી પરમારે મહિલાઓના કાનૂની અધિકારો વિશે, સુનિલ માલીએ ખાનવેલ વિસ્‍તારમાં મહિલા સશક્‍તિકરણના માટે સ્‍વયંસેવી સંસ્‍થાનો સહયોગ વિષય પર અને ડો.અનિલ માહલાએ આરોગ્‍ય સબંધિત મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવરે મહિલાઓને આગળ આવવા અને અત્‍યાચાર સહન નહી કરવાનુ આહ્‌વાન કર્યું અને મહિલા આજે દરેક ક્ષેત્રમા આગળ નીકળી ગઈ છે. બસ જરૂર છે તો પોતાની જિંદગી બદલવાની ઈચ્‍છા શક્‍તિ હોવાની.
કાર્યક્રમના અતિથિ મહિલા અનેબાળ વિકાસ વિભાગના નિર્દેશક શ્રી જતિન ગોયલે વિભાગ દ્વારા અમલીકળત બધી જ સરકારી યોજનાઓની જાણકારી આપી અને યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી સાથે એમણે જરૂરિયાતમંદોને આ યોજનાઓનો લાભ લેવા માટે જાગળત કરવા માટે પણ અપીલ કરી હતી.
મહિલા કલ્‍યાણ અધિકારી ડો.મીના ચંદારાણાએ ઉપસ્‍થિત દરેકનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંકલન અને સંચાલન મહિલા શક્‍તિ કેન્‍દ્ર દ્વારા કરવામા આવ્‍યું હતું.

Related posts

વાપી બલીઠા ક્રિએટીવ ટેક્‍સટાઈલ્‍સ કંપનીમાં ઊંચાઈ ઉપર કામ કરતા કામદારનું પટકાતા મોત

vartmanpravah

નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો

vartmanpravah

ચીખલી મામલતદાર કચેરીમાં પુરવઠા મામલતદાર નિયત કરાયેલા દિવસે ઉપસ્‍થિત ન રહેતા અરજદારોને પડી રહેલી હાલાકી

vartmanpravah

કપરાડા તાલુકા કક્ષાના 75મા વન મહોત્‍સવની પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના અધ્‍યક્ષસ્‍થાને કરાયેલી ઉજવણી

vartmanpravah

ગરીબ આદિવાસી વિધવા મહિલાને ઘર બનાવી આપી માનવતાની મહેક ઉજાગર કરતું પારડી જીવદયા ગ્રુપ

vartmanpravah

વાપી નગરપાલિકાની બંધ પડેલી ઈ-નગર વેબસાઈટ શરૂ: ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરામાં 10 ટકાનો વધારો થશે

vartmanpravah

Leave a Comment