April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી બલીઠાના લીલા નાળિયેરની લારી ચલાવતા શ્રમિકે ઈમાનદારી દાખવી : મળેલી બેગ માલિકને પરત કરી

રાકેશને રેલવે જકાતનાકે લઘુશંકાએ જતા 50 હજાર અને લેપટોપ રાખેલી અંકલેશ્વરના ઉદ્યોગપતિની બેગ મળી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13
ઈમાનદારીના વિરલ દાખલા આજે પણ બને છે તેવી ઈમાનદારી બલીઠાનો લીલા નાળિયેરની લારી ફેરવતા શ્રમજીવીએ દાખવી બતાવ્‍યાનો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે.
વાપી વી.આઈ.એ.માં બે દિવસ પહેલા રોટરીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અંકલેશ્વરથી એક ઉદ્યોગપતિ આવ્‍યા હતા. જ્‍યાં તેમની બી.એમ.ડબલ્‍યુ. કાર નં.જીજે 16 બીએન 0235 માંથી કોઈ ગઠીયો કાચ તોડી બેગ લઈ ફરાર થઈ ગયો હતો. ઉદ્યોગનગર પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ હતી. વાપી બલીઠામાં રહેતા અને લીલા નાળિયેર લારીની ફેરી કરતા શ્રમિક રાકેશ જકાતનાકા રેલવે ટ્રેક પાસે લઘુશંકાએ ગયેલો ત્‍યારે જુની જણાતી બેગ મળેલી. ફાટકે જ્‍યુશની લારી પાસે આવી બેગ ખોલી તેમા 50 હજાર રૂા. અને લેપટોપ મળ્‍યા હતા. બેગમાં રહેલ વિઝીટીંગના મોબાઈલ નંબર ઉપર જાણ કરતાં અંકલેશ્વરના ઉદ્યોગપતિનો નંબર હતો. બેગ માલિક વાપી આવી રાકેશને મળ્‍યા. રાકેશએ 50 હજાર રોકડઅને લેપટોપ વાળી બેગ માલિકને પરત કરી હતી. માલિકે બક્ષીશ આપવાની વાત કરી પણ રાકેશે નખ-શિખ ઈમાનદારી દાખવી બેગ માલિક પાસેથી બક્ષીસ પણ સ્‍વિકારી નહોતી.

Related posts

સેલવાસમાં બે સ્‍થળોએ બનેલી આગની ઘટના સેલવાસની એકદંત સોસાયટીની દુકાનમાં ભડકી ઉઠેલી આગ જ્‍યારે અથોલા ગામમાં એક ભંગારના ગોડાઉનમાં જમીન માલિકે લગાવેલી આગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પરિયારી ગ્રામ પંચાયતમાં જમીનના પુનઃ સર્વેક્ષણ માટે મળેલી ગ્રામસભા

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ એ.પી.અબ્‍દુલ્લા કુટ્ટીએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણ-દીવમાં આદર્શ ચૂંટણી આચારસંહિતાનો સખ્‍તાઈથી અમલ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર સૌરભ મિશ્રાનો નિર્દેશ

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્‍ડ લાઈન, દમણનાસંયુક્‍ત ઉપક્રમે નાની દમણ સાર્વજનિક વિદ્યાલયના સભાખંડમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે’ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment