December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

બે વર્ષ બાદ કોરોનાનું વિઘ્‍ન ટળતા વાપી-વલસાડમાં અનેક મંડળો દ્વારા ગણેશોત્‍સવની ધામધૂમથી કરાયેલી સ્‍થાપના

વાપી-વલસાડમાં 1500 ઉપરાંત સ્‍થળોએ શ્રીજીની સ્‍થાપના કરી : દોઢ દિવસીય મૂર્તિઓનું ગુરુવારે વિસર્જન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વિઘ્‍નહર્તા ગણપતિ બાપ્‍પાનો મહિમા અપરંપાર છે. ભાદરવા સુદ-4 ગણેશ ચતુર્થીના શુભ દિવસથી વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્‍સવનો શુભારંભ થઈ ગયો છે. બે વર્ષના કોરોના વિઘ્‍ન બાદ આ વર્ષે વિઘ્‍નહર્તાની સ્‍થાપના કરવાનો અવસર મળ્‍યો છે ત્‍યારે સમગ્ર જિલ્લો ગણેશમય બની ચૂક્‍યો છે. વાપી, વલસાડની સોસાયટીઓમાં વિવિધ મંડળો દ્વારા આકર્ષક પંડાલોમાં 1500 ઉપરાંત શ્રીજીની મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવી છે. બુધવારથી પ્રારંભ થયેલ ગણેશ મહામહોત્‍સવ આનંદ ચૌદશ સુધી 11 દિવસ ચાલશે. બુધવારે ઢોલ ત્રાંસા, ડી.જે.ના તાલે નાચતા-કુદરતા ભક્‍તો પોતાની શ્રીજીની મૂર્તિઓ લાવ્‍યા હતા. વિધિવતમંત્રોચ્‍ચાર સાથે બાપ્‍પાની મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવી હતી. વિવિધ મંડળોના પંડાલમાં જુદી જુદી થીમનો ઓપ અપાયો છે. ક્‍યાંક રાષ્‍ટ્રપ્રેમ, ક્‍યાંક કોરોના, ક્‍યાંક ધાર્મિક થીમોનો ટચ સાથે ગણેશ મહોત્‍સવનો દબદબાપૂર્વક પ્રારંભ થઈ ચૂક્‍યો છે. દોઢ, ત્રણ, પાંચ, સાત અને અગિયાર દિવસીય ગણેશજીનું ક્રમશઃ વિસર્જન કરવામાં આવશે. આજે ગુરૂવારે દોઢ દિવસીય ગણેશજીનું આજે વિસર્જન કરાયું હતું. મકાનો, ફલેટમાં મોટા ભાગે દોઢ દિવસીય શ્રીજીની સ્‍થાપના કરાય છે. ગણેશ ઉત્‍સવનો પ્રારંભ 150 વર્ષ પહેલાં મહારાષ્‍ટ્રથી થયો હતો પરંતુ હવે ગુજરાતભરમાં ગણેશ ઉત્‍સવની ધૂમ ચાલે છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઓગસ્‍ટ માસ માટે વરકુંડ વિભાગના જિ.પં. સભ્‍ય અને સરપંચને ભથ્‍થાંની ચૂકવણી કરાતા જિ.પં. સભ્‍ય સદાનંદ મીટનાએ પ્રશાસનનો માનેલો આભાર

vartmanpravah

વલસાડ મણીરત્‍ન હાઉસમાં ઓછા કેરેટના ઘરેણા પધરાવી નવુ સોનું લઈ જનાર ટોળકીના 6 ઝડપાયા

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન પ્રતિનિધિ મંડળે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની લીધેલી મુલાકાત

vartmanpravah

નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ

vartmanpravah

વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

સેલવાસના અટલ ભવન ખાતે અટલ જન સેવા કેન્‍દ્રનો આરંભઃ દાનહના ઊંડાણના આદિવાસી સમુદાય માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

Leave a Comment