Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

યુઆઈઍની ચૂંટણીમાં બોગસ મતદારો અને જવાબદારોની ખેર નહીં…….. બોગસ મતદાર (નિયમ વિરુદ્ધ બનેલ અોથોરાઈઝ પર્સન) સેક્રેટરી તાહિર વોરા, અને ઈલેક્શન કમિટી સામે ફોજદારી ગુનો દાખલ કરવાનુ સચિન માછી (બાળા)ઍ આપેલું અલ્ટીમેટમ

  • પારદર્શક મતદાન કરાવવા કરેલી સચિનભાઈ (બાળા)ની રજૂઆતને વિવાદનું સ્વરૂપ આપી અવળે પાટે ચઢાવવાની વિરોધપક્ષે કરેલી કુચેષ્ટાથી ઓદ્યોગિક આલમમાં વ્યાપેલી નારાજગી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.૨૧
હાલમાં યોજનારી યુઆઈઍના ઍક્ઝિક્યુટિવ કમિટી મેમ્બરની ચૂંટણીમાં બોગસ મતદાન થવાની શક્યતા બળવત્તર બની જવા પામી છે. યુઆઈઍનું સભ્યપદ હાસલ કરવામાં આચરવામાં આવેલી ગેરરીતીની ફરિયાદ ઓમ ઓવી ઍન્ટરપ્રાઈઝના માલિક અને ઉમેદવાર શ્રી સચિનભાઈ (બાળા)ઍ ઈલેક્શન કમિટી સમક્ષ કરી છે.
ઍમની રજૂઆત મુજબ ઘણી કંપનીઅોનું વેચાણ અને ટ્રાન્સફર પ્રક્રિયા થઈ ગઈ છે. અને નવા માલિકે કંપનીને નવા નામથી ચાલુ કરી દીધી હોવા છતાં જુના સભ્યપદોને ફરીથી નોîધવામાં આવ્યા છે. ખરેખર અહીં નવી કંપનીના નવા નામોને સભ્યપદ આપવો જાઈઍ પરંતુ તેમ ન થતાં અહીં નિયમ અને લોકશાહીઢબનુ હનન થઈ રહ્નાં છે જેના ઉપર અંકુશ મુકવાની માંગણી કરી છે. આ ઉપરાંત બીજી પ્રક્રિયા ઍવી પણ સામે આવવાની છે કે જેમને મતદાન કરવાની અોથોરાઈઝ આપવામાં આવી છે ઍના નામથી બોગસ સિગ્નેચર કરી મતદાન થશે. અને ઍક જ સભ્ય ઘણાના અોથોરાઈઝ લાવી મતદાન કરશે ઍવી શંકા પણ જણાઈ રહી છે. આવા સમયે પ્રોપર અોથોરાઈઝ સભ્ય જ મતદાન કરી શકે ઍવી ચોકસાઈ રાખવાની જરૂર છે. અને જા ઍક સભ્ય પાસે ઍકથી વધુ મતદાન કરવાનો જા હક પ્રા થયેલો હોય તો ઍવા સભ્યોઍ ઍક જ સમયે તમામ મતદાન કરી દેવું જાઈઍ. અલગ અલગ સમયે કરવામાં આવતા મતદાનમાં બોગસ થવાની શક્યતા જણાઈ રહી છે.
આમ યુઆઈઍની ચૂંટણી જંગમાં ભારે રસાકસી ભર્યા થવાના ઍîધાણ દેખાઈ રહ્ના છે અને નિયમ વિરુદ્ધ સભ્યપદ હાંસલ કરેલાની પ્રક્રિયા બહાર આવવા પામી છે. બીજી તરફ શ્રી સચિનભાઈ (બાળા)ઍ ઈલેકશન કમિટી સમક્ષ પારદર્શક મતદાન પ્રક્રિયા કરાવવા કરેલી રજૂઆતને વિવાદનું સ્વરૂપ આપી વિરોધ પક્ષે અવળે પાટે ચઢાવવા કરેલી કુચેષ્ઠાથી ઔદ્યોગિક આલમમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે. જેનો પુરેપુરો લાભ ટીમ ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ પેનલને થશે ઍવુ આંકલન કરવામાં આવી રહ્નાં છે. વધુમાં નિયમ વિરૂધ્ધમાં જેથી નિયમ વિરુદ્ધના મતદાન પ્રક્રિયા ઉપર જવાબદાર કમિટી અને જવાબદાર હોદ્દેદાર અંકુશ મુકવામાં નિષ્ફળ જાય તો સમગ્ર પ્રકરણ પોલીસ તંત્રની તપાસના દાયરામાં આવશે ઍવો ગર્ભિત ઈશારો શ્રી સચિનભાઈ (બાળા) દ્વારા કરવામાં આવ્યો છે.

Related posts

દમણ જિલ્લા ભાજપના સોમનાથ મંડળમાં યોજાયેલ બૂથ સશક્‍તિકરણ બેઠક: પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરે આપેલું મનનીયમાર્ગદર્શન

vartmanpravah

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ડેપ્‍યુટી સરપંચોની ચૂંટણી યોજાઈ

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દમણવાડા પંચાયતના નંદઘરની લીધેલી મુલાકાતઃ નંદઘર નિહાળી પ્રભાવિત બનેલા મંત્રી

vartmanpravah

દમણમાં 74મા ‘બંધારણ દિવસ’ની કરાયેલી ઉજવણીઃ કલેક્‍ટર સૌરભ મિશ્રાએ પ્રસ્‍તાવનાનું કરેલું વાંચન

vartmanpravah

ધરમપુરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબોડકરની પુણ્‍યતિથિની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment