April 30, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરો પર તંત્રનો છૂપો આશીર્વાદ !

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ (મહેન્‍દ્ર યાદવ)
ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરોની હાટડીઓ ફરીથી ધમધમતી થઈ છે. બોગસ ડોકટરો આદિવાસી દરદીઓના આરોગ્‍ય સાથે સરેઆમ ચેડાં કરી રહ્યાનું જાણતા હોવા છતાં તંત્ર કુંભકર્ણી નિંદ્રામાંથી જાગતું નથી. અખબારી અહેવાલોમાં પ્રકાસીત થાય ત્‍યારે દેખાવટી કાર્યવાહી કરવામાં આવે છે ત્‍યારબાદ તંત્ર આંખ આડે કાન કરી સબ સલામત હોવાનું બણગાં ફૂંકે છે. બોગસ ડોકટરોનું દવાખાનુંબંધ કરાવવામાં તંત્રને રસ ન હોય તેમ સ્‍પષ્ટ થઈ રહ્યું છે !
અગાઉ બોગસ ડોકટરોનો અહેવાલ અખબારોમાં પ્રકાશિત થયું હતું ત્‍યારે વલસાડ ડીડીઓ મનીષ ગુરુવાણીએ સત્‍યતા જાણવા આરોગ્‍ય તંત્રને આદેશ આપ્‍યો હતો. જે બાદ આરોગ્‍ય વિભાગે ધરમપુર પોલીસની મદદ લઈ તપાસ કરી હતી. જેમાં કેટલાક બોગસ ડોકટરો ઝડપાઈ આવ્‍યા હતા તે સમયે તંત્રનો સપાટો પડતા વિસ્‍તારમાં કાર્યરત અનેકો બંગાળી બોગસ ડોકટરો પલાયન થઈ ગયા હતા. જ્‍યારે અંતરિયાળ વિસ્‍તરોમાં કેટલાક બોગસ ડોકટરો લોકલ હોવાને કારણે પોતાની ઘરે ચોરી-છુપે દવાખાનું ચલાવતા હતા. તંત્રના સપાટાને ઘણા દિવસો થઈ ગયા બાદ મામલો ઠંડો પડતા ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરોની ફરીથી હાટડી જામી છે. ધરમપુરના હનુમતમાળ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની નજીકમાં જ ધરમપ ર વિસ્‍તાર તરફ મિથુન શ્રીવાસ્‍તવ નામક એક બોગસ ડોકટર બેરોકટોક દવાખાનું ચલાવી રહ્યો છે. દવાખાનામાં આદિવાસી દરદીઓને દાખલ કરી બોટલો પણ ચઢાવે છે. પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની નજીકમાં જ આ દવાખાનું ધમધમતું હોવાને કારણે અહીં બોગસ ડોકટરો પર વલસાડ જિલ્લા વહીવટી તંત્રનો છૂપો આશીર્વાદ હોય તેમ શિક્ષિત લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Related posts

બામણવેલથી પસાર થતી કેનાલના વર્ષો જૂના પુલ ઉપર સેફટી ગ્રીલના અભાવે મોટી દુર્ઘટનાની સેવાઈ રહેલી ભીતિ

vartmanpravah

ગુજરાતના ગાંધીનગર ખાતે મળેલી વેસ્‍ટર્ન ઝોન કાઉન્‍સિલની 26મી બેઠક પંશ્ચિમી ઝોનમાં આવેલા ગુજરાત મહારાષ્‍ટ્ર ગોવા તથા દાનહ અને દમણ-દીવ દેશની જીડીપીમાં 25 ટકા યોગદાન ધરાવતો વિસ્‍તારઃ કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

નાગવા દીવ મેઈન રોડ પર ખરાબ રોડના કારણે છકડો રિક્ષા પલ્‍ટી મારતા ચાર લોકો ગંભીર ઘાયલ થયા હતા, જ્‍યારે બીજા બે ને સામાન્‍ય ઈજા થઇ હતી

vartmanpravah

સરીગામ શિવસેના ઓફિસ સામે લૂંટ સહિત એક મહિલાનું અપહરણ થતાં ચકચાર

vartmanpravah

શ્રીસ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખેલમહાકુંભમાં ઝળકી

vartmanpravah

‘એક વ્‍યક્‍તિ એક પદ’ની કડક નીતિ મુજબ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં સંઘપ્રદેશ થ્રીડી ભાજપ દાનહ, દમણ અને દીવના નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી શકે છે

vartmanpravah

Leave a Comment