August 31, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

ગુજરાતના ગાંધીનગર ખાતે મળેલી વેસ્‍ટર્ન ઝોન કાઉન્‍સિલની 26મી બેઠક પંશ્ચિમી ઝોનમાં આવેલા ગુજરાત મહારાષ્‍ટ્ર ગોવા તથા દાનહ અને દમણ-દીવ દેશની જીડીપીમાં 25 ટકા યોગદાન ધરાવતો વિસ્‍તારઃ કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલના સભ્‍ય પ્રદેશો/કેન્‍દ્ર શાસિત પ્રદેશ દ્વારા અપનાવવામાં આવેલ સારી પ્રણાલીઓની પ્રશંસા અને અનુકરણ કરવા પણ હિમાયત 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

ગાંધીનગર, તા.29 : કેન્‍દ્રિય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્‍યક્ષતામાં સોમવારે ગુજરાતના ગાંધીનગર ખાતે વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની 26મી બેઠક યોજાઈ હતી. જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી શ્રી એકનાથ શિંદે, ગોવાના મુખ્‍યમંત્રી શ્રી પ્રમોદ સાવંત તથા મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી સહિત ઉચ્‍ચ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્‍યું હતું કે, પશ્ચિમી  ઝોન દેશનો મહત્‍વનો ઝોન છે અને દેશની જીડીપીમાં 25 ટકા યોગદાન ધરાવતો આ વિસ્‍તાર ફાઈનાન્‍સ, આઈ.ટી., ડાયમન્‍ડ, પેટ્રોલિયમ, ઓટોમોબાઈલ અને ડિફેન્‍સનું હબ છે. વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલના સભ્‍ય રાજ્‍યો લાંબો દરિયા કિનારોધરાવે છે. જ્‍યાં અત્‍યંત સંવેદનશીલ સંસ્‍થાઓ અને ઉદ્યોગો કાર્યરત છે. જેની ચુસ્‍ત સુરક્ષા સુનિヘતિ કરવા માટે સતત પ્રયાસોની જરૂર છે.

સોમવારે મળેલી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની 26મી બેઠકમાં કુલ 17 મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી. જેમાંથી 9 મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવ્‍યું હતું અને રાષ્‍ટ્રહિતના મુદ્દાઓ સહિત બાકીના મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા કર્યા બાદ દેખરેખ માટે રાખવામાં આવ્‍યા હતા.

આ બેઠકમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલના સભ્‍ય પ્રદેશો/કેન્‍દ્ર શાસિત પ્રદેશો દ્વારા અપનાવવામાં આવેલ સારી પ્રણાલીઓની પ્રશંસા પણ કરવામાં આવી હતી.

Related posts

દાનહની શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે આચરેલા દુષ્‍કર્મ સંદર્ભે સંઘપ્રદેશ ભાજપાએ પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા કરવા કરેલી માંગ

vartmanpravah

પારડી હાઈવે ઉપર શનિવારે રાત્રે એક ટેમ્‍પો આઠ કાર સહિત 9 વાહનો ભટકાયા : કોઈ જાનહાની નહીં

vartmanpravah

વલસાડના કુંડી ગામમાં વાવાઝોડાથી 10 થી 15 જેટલા મકાનોના છાપરા ઉડયા : અનેક ઘરોમાં પાણી ભરાયા

vartmanpravah

વાપી-વલસાડ સહિત ગુજરાતના શહેરોમાં નવરાત્રી અટકાવીને ખેલૈયાઓએ ભારતના ‘રતન’ રતન ટાટાને શ્રધ્‍ધાંજલી અર્પી

vartmanpravah

‘સંસ્કૃતિ’ વલસાડ દ્વારા આર. જે.દેવકીનો અનોખો પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગમાં કાર્યરત જે.ઈ.(ઈલેક્‍ટ્રીકલ) નરેન્‍દ્રસિંહ એન. દેસાઈએ સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ માટે પ્રશાસનને કરેલી અરજ

vartmanpravah

Leave a Comment