Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરો પર તંત્રનો છૂપો આશીર્વાદ !

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ (મહેન્‍દ્ર યાદવ)
ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરોની હાટડીઓ ફરીથી ધમધમતી થઈ છે. બોગસ ડોકટરો આદિવાસી દરદીઓના આરોગ્‍ય સાથે સરેઆમ ચેડાં કરી રહ્યાનું જાણતા હોવા છતાં તંત્ર કુંભકર્ણી નિંદ્રામાંથી જાગતું નથી. અખબારી અહેવાલોમાં પ્રકાસીત થાય ત્‍યારે દેખાવટી કાર્યવાહી કરવામાં આવે છે ત્‍યારબાદ તંત્ર આંખ આડે કાન કરી સબ સલામત હોવાનું બણગાં ફૂંકે છે. બોગસ ડોકટરોનું દવાખાનુંબંધ કરાવવામાં તંત્રને રસ ન હોય તેમ સ્‍પષ્ટ થઈ રહ્યું છે !
અગાઉ બોગસ ડોકટરોનો અહેવાલ અખબારોમાં પ્રકાશિત થયું હતું ત્‍યારે વલસાડ ડીડીઓ મનીષ ગુરુવાણીએ સત્‍યતા જાણવા આરોગ્‍ય તંત્રને આદેશ આપ્‍યો હતો. જે બાદ આરોગ્‍ય વિભાગે ધરમપુર પોલીસની મદદ લઈ તપાસ કરી હતી. જેમાં કેટલાક બોગસ ડોકટરો ઝડપાઈ આવ્‍યા હતા તે સમયે તંત્રનો સપાટો પડતા વિસ્‍તારમાં કાર્યરત અનેકો બંગાળી બોગસ ડોકટરો પલાયન થઈ ગયા હતા. જ્‍યારે અંતરિયાળ વિસ્‍તરોમાં કેટલાક બોગસ ડોકટરો લોકલ હોવાને કારણે પોતાની ઘરે ચોરી-છુપે દવાખાનું ચલાવતા હતા. તંત્રના સપાટાને ઘણા દિવસો થઈ ગયા બાદ મામલો ઠંડો પડતા ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરોની ફરીથી હાટડી જામી છે. ધરમપુરના હનુમતમાળ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની નજીકમાં જ ધરમપ ર વિસ્‍તાર તરફ મિથુન શ્રીવાસ્‍તવ નામક એક બોગસ ડોકટર બેરોકટોક દવાખાનું ચલાવી રહ્યો છે. દવાખાનામાં આદિવાસી દરદીઓને દાખલ કરી બોટલો પણ ચઢાવે છે. પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની નજીકમાં જ આ દવાખાનું ધમધમતું હોવાને કારણે અહીં બોગસ ડોકટરો પર વલસાડ જિલ્લા વહીવટી તંત્રનો છૂપો આશીર્વાદ હોય તેમ શિક્ષિત લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રત્‍યે સંઘપ્રદેશના યુવાનોની આશાભરી મીટઃ દાનહ અને દમણ-દીવને બીસીસીઆઈનું એફિલીએશન વહેલી તકે અપાવશે

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ લૉ કોલેજમાં દીક્ષાંત સમારોહ યોજાયોઃ 75 સ્‍ટુડન્‍ટને મળી એલએલબીની ઉપાધિ

vartmanpravah

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનના મામલે સ્‍થાનિકોની રજૂઆત અને પ્રાંત અધિકારીના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગ તટસ્‍થ તપાસ કરશે કે પછી…?

vartmanpravah

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થા (BAPS) દ્વારા પ્રમુખ સ્‍વામી શતાબ્‍દી મહોત્‍સવનું અમદાવાદમાં તા.15 ડિસેમ્‍બરથી કરાયેલુ ભવ્‍ય આયોજન

vartmanpravah

થોડા સમય પહેલા જ દુબઈથી પરત ફરેલા રાણા સમાજના આશાસ્‍પદ યુવાનનું પાર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત

vartmanpravah

દાનહની કરોડો રૂપિયાની સરકારી જમીન ખાનગી વ્‍યક્‍તિના નામે કરવાના કૌભાંડમાં સેલવાસ અને ખાનવેલના પૂર્વ મામલતદાર શર્મા અને ભંડારીના લંબાયેલા પોલીસ રિમાન્‍ડઃ કૌભાંડોના સૂત્રધારો સુધી પહોંચવા પોલીસ તંત્રની મથામણ

vartmanpravah

Leave a Comment