June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવસેલવાસ

દમણ ફિશરીઝ સોસાયટીના પ્રમુખ ગોપાલદાદાના નેતૃત્‍વમાં નાની દમણ નવી જેટીના નિર્માણથી માછી સમાજમાં ખુશી : માછી સમાજના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

નાની દમણ નવી જેટીના કિનારે બનનારું ભવ્‍ય સમુદ્ર નારાયણ મંદિર : દરરોજ મહાઆરતીનો સંકલ્‍પ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23
આજરોજ દમણ ફિશરીઝ સોસાયટીના ચેરમેન શ્રી ગોપાલભાઈ ટંડેલ (દાદા)ના નેતૃત્‍વમાં માછીમાર પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન માછી સમાજના ચેરમેન શ્રી ગોપાલભાઈ ટંડેલ(દાદા) સહિત સભ્‍યોએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો નવી જેટીના નિર્માણ માટે મંજૂરી અને સમુદ્ર નારાયણ મંદિર માટે જગા ફાળવી આપવા બદલ પુષ્‍પગુચ્‍છ આપી આભાર પ્રગટ કર્યો હતો.
મુલાકાત દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે માછીમારો માટે સાંઈ બાબા મંદિરની પાછળ જેટી બનાવવામાં આવશે. જેથી માછીમારો પોતાની બોટ પાર્કિંગ કરી શકશે. મંદિર નિર્માણ માટે જમીન ફાળવણી બાબતે ચર્ચા કરતા પ્રશાસકશ્રીએ જણાવ્‍યું હતું કે,ભવ્‍ય મંદિરનાનિર્માણ બાદ અહી રોજ આરતીનું આયોજન કરવા તેમણે ઉપસ્‍થિત સભ્‍યોને વિનંતી કરી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નાની દમણ બીચ રોડ અને તેની સાથે જોડાયેલા પ્રોજેક્‍ટો અંગે જાણકારી આપી હતી. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કિલ્લાની બાજુમાં ખાણીપીણીના સ્‍ટોલ શરૂ કરવા અંગે પણ માહિતી આપી હતી.

Related posts

20મી નવેમ્‍બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે દાનહ-દમણ-દીવમાં સરકારી/ગેર સરકારી, ખાનગી કંપની, સંસ્‍થા, વિવિધ એકમો/પ્રતિષ્ઠાનોમાં કાર્યરત મહારાષ્ટ્રના મતદારોને રજા આપવા સંઘપ્રદેશ ચૂંટણી વિભાગનો આદેશ

vartmanpravah

સંજાણ-સુરત મેમુ ટ્રેનમાં દારૂના જથ્‍થા સાથે વલસાડમાં બે ખેપીયા ઝડપાયા

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

vartmanpravah

આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં થનારી ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ અને શ્રી રાણા સમાજદમણ, દ્વારા મોટી દમણ ખાતે આયોજીત સ્‍વાસ્‍થ્‍ય યજ્ઞમાં 245 દર્દીઓએ લીધેલો લાભ: જરૂરિયાતમંદોને વોકર, વોકિંગ સ્‍ટીક તથા ચશ્‍માનું કરેલું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

Leave a Comment