Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં પારદર્શક પ્રશાસન માટે બદલી કરાયેલા કેટલાક અધિકારી-કર્મચારીઓ હજુ પણ પોતાના જુના સ્‍થળે જ કાર્યરત

સેલવાસ ખાતે કેટલાક ચોક્કસ કાર્યાલયમાં કોમ્‍પ્‍યુટરના પાસવર્ડ પણ બદલી થયેલા કર્મચારીઓને નહી અપાયો હોવાની ઉઠેલી બુમ : મલાઈદાર વિભાગમાં ચીટકી રહેવાનું દેખાતુ વલણ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23
દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રી દ્વારા પારદર્શી પ્રસાશનિક પ્રક્રિયા અને ભ્રષ્ટાચાર પર લગામ લગાવવાના ઉદેશ્‍ય સાથે વિવિધ વિભાગોમા બદલીના આદેશો જારી કરવામા આવ્‍યા હતા. પરંતુ હાલમાં પણ કેટલાક અધિકારીઓ કર્મચારીઓ એવા છે કે આ આદેશોનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે.
સુત્રો દ્વારા મળેલ જાણકારી અનુસાર બદલી કરવામા આવ્‍યા બાદ પણ કેટલાક મલાઈદાર વિભાગ એવા છે જ્‍યાં પણ જુના અધિકારીઓ અને કર્મચારીઓ રોજેરોજની હાજરી જોવા મળે છે અને બીજા જે બદલી થઈને આવેલ અધિકારીઓ અને કર્મચારીઓને ઓફિસના અંદર કબાટની ચાવીઓ પણ આપવામાઆવતી નથી અને કોમ્‍પ્‍યુટરના પાસવર્ડ પણ આપવામા આવતા નથી. જેના કારણે હાલમાં જે અધિકારીઓ કર્મચારીઓ બદલી થઈને આવ્‍યા છે તેઓને ઓફીસનું કામ કરવામા પણ તકલીફ પડે છે.
જાણવા મળેલ મુજબ ઓફીસની ફાઇલોમાં પણ હાલમાં જે જુના અધિકારી અને કર્મચારી જ સહીઓ કરે છે. બીજા કોઈ મહિલા અધિકારી કર્મચારી કામ કરવાની ઈચ્‍છા હોય તેઓને કામ નહી કરવાનો પણ આદેશ કરવામા આવે છે.
પ્રસાશનિક આદેશોમા બદલીઓને તાત્‍કાલિક પ્રભાવથી લાગુ કરવા માટે કહેવામા આવેલ છે પરંતુ જમીની સ્‍તર પર આ આદેશોનો ખુલ્લેઆમ ઉલ્લંઘન થતુ હોવાનુ જોવા મળે છે. જેથી પ્રદેશમાંથી મલાઈદાર વિભાગમાંથી હટાવવામા આવેલ અધિકારીઓ કર્મચારીઓની સમય સમય પર તપાસ થવી જરૂરી છે.
લોકોના જણાવ્‍યા અનુસાર પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા જે ઉદેશ્‍યથી અધિકારીઓ અને કર્મચારીઓની બદલીનો આદેશ જારી કરવામા આવેલ એ તમામ ઉદેશ્‍યો અને પ્રયાસો પર કેટલાક અધિકારીઓ દ્વારા પાણી ફેરવી રહ્યા છે. જેથી પ્રશાસનના સબંધિત અધિકારીઓ દ્વારા ધ્‍યાન આપી કાર્યવાહી કરવાની આવશ્‍યકતા છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતનું દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

વલસાડમાં થર્ડ મેન ઓફ મિસ્‍ટર વલસાડ બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધામાં હિતેશ પટેલ ગોલ્‍ડ, કરણ ટંડેલ સિલ્‍વર મેડલ વિજેતા

vartmanpravah

દીવમાં ભાજપની ‘જન સંપર્ક યાત્રા’ સંપન્ન

vartmanpravah

ચીખલીમાં વૈકલ્‍પિક એસ.ટી. બસ સ્‍ટેન્‍ડમાં અપૂરતી જગ્‍યા અને સલામતીની વ્‍યવસ્‍થાના અભાવ વચ્‍ચે મુસાફરોની ભીડમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ

vartmanpravah

દાનહઃ સુરંગી ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું સ્‍વાગત

vartmanpravah

દીવ જિલ્લામાં વિવિધ જગ્‍યાએ ગણપતિ બાપ્‍પા થયા બિરાજમાન

vartmanpravah

Leave a Comment