Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા કૂતરાઓની નિયમિત થતી નશબંધી છતાં સતત વધતી વસ્‍તી : નશબંધીના નામે તો નથી લખાતું ને નામું?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25
સેલવાસ પાલિકા વિસ્‍તારમાં રખડતા કૂતરાઓની સંખ્‍યામાં ઘણો વધારો થયો હોવાને કારણે અને રાહદારીઓ તેમજ વાહન ચાલકોની પાછળ દોડી કરડવાનો પ્રયાસ કરતા હોવાને કારણે ડોગ બાઈટની ઘટનાઓ પણ વધી છે. કલેકટર કચેરીના સંકલન અને આયોજન દ્વારા દાનહમાં કૂતરાઓની સંખ્‍યાને નિયંત્રિત કરવા માટે પશુપાલન વિભાગ અને પાલિકા દ્વારા નસબંધી અને ગર્ભનિરોધક કાર્યક્રમ ચલાવવામા આવી રહ્યો છે. પરંતુ તે ફક્‍ત કાગળ ઉપર જ ચાલતો હોવાનું દેખાય રહ્યું છે. કારણ કે કૂતરાઓની નશબંધી અને ગર્ભનિરોધક કાર્યક્રમો સમયસર ચલાવાતા હોવા છતાં કૂતરાઓની સંખ્‍યા દિન-પ્રતિદિન વધતી જ રહે છે. ત્‍યારે નશબંધી અને ગર્ભનિરોધક પાછળ થતાં ખર્ચાનો કયાશ પણ કાઢવો જોઈએ એવી માંગ પ્રબળ બની રહી છે.
દરમિયાન, વિભાગ દ્વારા ત્રણ ઓપરેશન થિયેટર બનાવવામા આવ્‍યા છે અને એ માટે નવ ડોક્‍ટરોની નિયુક્‍તિ કરવામા આવી છે.જીપીએસ ટેગિંગ કરી કૂતરાઓને પ્રશિક્ષિત લોકો દ્વારા પકડવામા આવે છે જેઓને સર્જરી બાદ ફરી એજ સ્‍થાને પાછા છોડી દેવામા આવે છે. દરરોજ અંદાજીત 30થી 40 કૂતરાઓને પકડીને હાસ્‍પિટલમા લાવવામા આવે છે.
પશુપાલન વિભાગ અને પાલિકા દ્વારા સ્‍વચ્‍છ પશુ આશ્રર્યસ્‍થાનોબનાવવામા આવ્‍યા છે જ્‍યા શ્વાનને ચાર દિવસ સર્જરી પહેલા એક દિવસ અને ઓપરેશન પછીની સંભાળ માટે ત્રણ દિવસ રાખવામા આવે છે.કૂતરાઓને દિવસમા બે વખત પૌષ્ટિક અને આરોગ્‍યપ્રદ ખોરાક આપવામા આવે છે. સાથે સાથે જરૂરી દરેક કાળજી પણ રાખવામા આવે છે આ યોજના 20 દિવસ સુધી ચાલશે અને પંચાયતોને પણ આ યોજનામા સામેલ કરવામા આવશે.
કલેકટર કચેરીના સંકલન અને આયોજન દ્વારા પશુપાલન વિભાગ અને પાલિકા આ કામગીરી કરી રહ્યુ છે. અત્‍યાર સુધીમા 40 કૂતરાઓનુ સફળતાપૂર્વક ઓપરેશન કરવામા આવ્‍યુ છે. દાનહના તમામ રખડતા કૂતરા માટે નશબંધીની આ યોજના ચલાવવામા આવશે.

Related posts

વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ભવ્‍ય અને વિશાળ રોડ શો સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

ગુજરાતની અન્‍ય ઔદ્યોગિક વસાહતોની સાથે વાપી વી.આઈ.એ. દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓની રજા રાખવા જાહેર અપીલ કરાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા દ્વારા 16 ડિસેમ્‍બરે ડોકમરડી ખાતેની ડો. એપીજે અબ્‍દુલ કલામ-સરકારીમાં મ્‍યુઝિકલ કાર્યક્રમ તંબોલાનું આયોજન

vartmanpravah

સેલવાસની દીપ ડેરીમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગઃ દુકાનનો સામાન બળીને ખાખ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં દાભેલના આટિયાવાડ ખાતે સેવા પખવાડા હેઠળ નિઃશુલ્‍ક દાંત અને આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

જેસીઆઈ વાપી દ્વારા વિલફુલ વેન્‍ડ્‍સેડે સફળતા પૂર્વક ઉજવણી

vartmanpravah

Leave a Comment