Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

તા.૩૧ માર્ચના રોજ તિજોરી કચેરીઓ તથા બેંકો ખુલ્લી રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારીઃ તI.28

નાણાંકીય વર્ષના અંતિમ દિવસે તમામ સરકારી બીલો/ચેકોનું પેમેન્ટ થઇ જાય તે ખૂબ જ જરૂરી છે અને તે માટે સરકારી કામ કરતી બેંકો/તિજોરી કચેરીઓના તમામ બીલો/ચેકોનું પેમેન્ટ થઇ જાય ત્યાં સુધી ખુલ્લી રાખવી જરૂરી છે. જે અન્વયે નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમિત પ્રકાશ યાદવે મળેલી સત્તાની રૂએ આગામી તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ નવસારી જિલ્લાની જિલ્લા/પેટા તિજારી કચેરીઓ તેમજ નવસારી જિલ્લામાં આવેલી ભારતીય સ્ટેટ બેંકની તમામ શાખાઓ ચાલું નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ ની કામગીરી સમયસર પૂર્ણ થાય અને સરકારી નાણાંકીય લેવડ-દેવડના કામકાજ અર્થે સરકારી બીલો તથા ચેકોનું સંપૂર્ણ પેમેન્ટ થઇ જાય ત્યાં સુધી એટલે કે રાત્રિના ૧૨-૦૦ કલાક સુધી ખુલ્લી રાખવા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related posts

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસથી 2 ઓક્‍ટો. સુધી દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ સેવા પખવાડા તરીકે ઉજવશે

vartmanpravah

ઓનલાઈન નોકરી આપવાના બહાને છેતરપીંડી કરનાર બે આરોપી ઝડપાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષામાં ૭૨૭૯ વિદ્યાર્થીઓ હાજર

vartmanpravah

પારડીના બાલદામાં હાથમાં ત્રિશુલ અને સ્‍ટારના છુંદણા છપાવેલ ડી કમ્‍પોઝ થયેલ યુવાનસ્ત્રીના મળેલ મૃતદેહનું રહસ્‍ય અંકબંધ

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પર ચાલતી મીની બસનું ટાયર નીકળ્‍યું: સદનસીબે કોઈ જાનહાની નહિ, સાંજનો સમય હોય ટ્રાફિક જામ

vartmanpravah

વાપીમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના ગુંજન જનસંપર્ક કાર્યાલયમાં પૂર્વ વડા પ્રધાનમંત્રી વાજપેયીની 100મી જન્‍મજ્‍યંતી ઉજવણી ઉજવાઈ

vartmanpravah

Leave a Comment