April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રક્‍તદાન, વૃક્ષારોપણ અને વોલ પેઈન્‍ટીંગના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: ગુજરાત રાજ્‍ય એસટી નિગમના વલસાડ વિભાગ દ્વારા ‘‘સ્‍વચ્‍છ યાત્રા, શુભ યાત્રા” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે પૈકી તા.10 જાન્‍યુઆરીના રોજ એસ.ટી. વિભાગીય કચેરી, ધરમપુર રોડ, અબ્રામા ખાતે રક્‍તદાન શિબિરનું આયોજન સિવિલ હોસ્‍પિટલ વલસાડના સહયોગથી અને ડો.અમિતભાઈ શાહના નેતૃત્‍વ હેઠળ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું. રક્‍તદાતાઓને એસટી વિભાગના અધિકારીઓ દ્વારા પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે વલસાડ એસટી વિભાગના વિભાગીય નિયામક એન. એસ. પટેલ, એ. કે. પરમાર, બી. ટી. પટેલ સહિત અધિકારીઓની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. રક્‍તદાન શિબિરમાં 59 બોટલ રક્‍ત રક્‍તદાતાઓ તરફથી દાનકરવામાં આવ્‍યું હતું.
‘‘સ્‍વચ્‍છ યાત્રા, શુભ યાત્રા” ઝુંબેશ અંતર્ગત એસટીની વિભાગીય કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં વિભાગીય કચેરી તથા વિભાગીય યાંત્રાલયના કર્મચારીઓ તથા અધિકારીઓ દ્વારા વિભાગીય કચેરી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. આ સાથે એસટી વિભાગીય કચેરીને સુશોભન કરવા માટે વોલ પેઇન્‍ટિંગ પણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની કોંગ્રેસ સ્‍ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ

vartmanpravah

વાપીમાં એક જ રાતમાં પાંચ દુકાનોના શટર તૂટયા : તસ્‍કરોનો હાથ ફેરો ફોગટ ગયો

vartmanpravah

દીવ પ્રશાસન દ્વારા જિલ્લાના કુલ 50 આપદા મિત્રોનો ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવામાં આવ્‍યો

vartmanpravah

દાનહ-નરોલી ગામે કાનૂની શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

પારડીના પરિયા ખાતે આવેલ એમએમટીઈ કંપનીમાં લાગી આગ

vartmanpravah

છેલ્લા બે મહિનાથી દાનહમાં બેંકો રૂા.1 લાખ કરતા વધુની રકમના ઉપાડ તથા જમાની વિગતો પ્રશાસનને આપશે

vartmanpravah

Leave a Comment