Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

નહેરુ યુવા કેન્‍દ્ર, વલસાડ દ્વારા ‘કેચ ધ રેઇન’ કાર્યક્રમ અંતર્ગત પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28
ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્‍દ્ર વલસાડ દ્વારા ધરમપુર બ્‍લોકના ગામોમાં પાણીના સંરક્ષણ (કેચ ધ રેઇન) તેમજ કોવિડ રસીકરણ માટે જન જાગૃતિ રથ દ્વારા વિરવલ, ખટાણા, મોટી ઢોલડુંગરી, કરંજવેરી, શેરીમાળ, બરૂમાળ, સિદુમ્‍બર, આવધા, હનમતમાળથી લઇને બિલ્‍ધા સુધીનાધરમપુર તાલુકાના 30 થી વધુ ગામોમાં જન જાગૃતિ માટે પ્રચાર કરવામાં આવ્‍યો હતો. જન જાગૃતિ અભિયાન અંતર્ગત વરસાદના પાણીનો બગાડ અટકાવી તેનો વિવિધ માધ્‍યમોથી સંગ્રહ કરવા બાબતે ઉપયોગી જાણકારી આપી હતી. સાથોસાથ જેમનું કોવિડ રસીકરણ બાકી હોય તેમને રસી લેવા પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. વિવિધ સ્‍થળોએ નેહરુ યુવા કેન્‍દ્ર વલસાડ તરફથી હેન્‍ડ બેગનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નેહરુ યુવા કેન્‍દ્રના સ્‍વયંસેવક વિરલ પટેલ અને યોગેશ કાંહડોળિયાનો સહયોગ મળ્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં 14034 કેસનો નિકાલ, રૂ.10.96 કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

સામરવરણી-મસાટના ટેમ્‍પો એસોસિએશનના સભ્‍યો દ્વારા દાનહના રખોલી દમણગંગા પુલ પરથી વાણિજ્‍યક અને હળવા/મધ્‍યમ પ્રકારના વાહનોને પસાર કરવા કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

કપરાડા કુંભઘાડ ઉપર બ્રેક ફેલ થતાકન્‍ટેનર અને પિયાગો વચ્‍ચે ગંભીર અકસ્‍માત

vartmanpravah

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

સામરવરણી ખાતેની ખાનગી શાળાની વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મની ઘટનાના વિરોધમાં મસાટ પંચાયત દ્વારા કલેક્‍ટરને આપવામાં આવેલું આવેદન પત્ર

vartmanpravah

દાનહના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા સની ભીમરાએ ખરડપાડાના ખાડીપાડા વિસ્‍તારની લીધેલી મુલાકાતઃ ગામલોકો સાથે કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

Leave a Comment