April 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવસેલવાસ

લોક કલ્‍યાણકારી બજેટઃ અમૃત કાળની મજબૂત આધારશીલા રાખવાની સાથે આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પને ઔર ગતિ આપશેઃ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે અમૃત કાળના પહેલા આમબજેટ 2023-24ને લોક કલ્‍યાણકારી બજેટ ગણાવ્‍યું છે. તેમણે જણાવ્‍યુંહતું કે, ગામ, ગરીબ, ખેડૂત, આદિવાસી, દલિત, પછાત, શોષિત, વંચિત, અને આર્થિક રૂપથી પછાત તથા મધ્‍યમ વર્ગના લોકોને સશક્‍ત અને સક્ષમ બનાવવાવાળું બજેટ હોવાનો દાવો કર્યો છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવના આદિવાસી સમાજ અને નાના ઉદ્યોગો માટે આ બજેટ ખુબ જ લાભદાયી હોવાનું જણાવ્‍યું હતું. તેમણે મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલું 2023-24નું બજેટ અમૃત કાળની મજબૂત આધારશીલા રાખવાની સાથે આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પને પણ ઔર ગતિ આપનારૂં ગણાવ્‍યું હતું.

Related posts

ચીખલીના વાંઝણા નાયકીવાડ પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા તોડી નંખાયા બાદ નવા ઓરડાઓનું બાંધકામ નહીં કરાતા બાળકો ગામના ચર્ચમાં અભ્‍યાસ કરવા મજબુર

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ. યુ.પટેલની સંતકબીર એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

દીવ પ્રશાસક દ્વારા નાગવા બીચથી ઘોડિધર બીચ પર 5 કિ.મી. લાંબી માનવ સાંકળનું આયોજન

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા યુવા ઓરિએન્‍ટેશન તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના પ્રમુખ શૌકતભાઈ મિઠાણીએ દમણ, દાનહ અને પોતાના વોર્ડ મિટનાવાડ ખાતે પણ ભવ્‍ય રીતે ઉજવેલી ડો.બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ

vartmanpravah

Leave a Comment