(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે અમૃત કાળના પહેલા આમબજેટ 2023-24ને લોક કલ્યાણકારી બજેટ ગણાવ્યું છે. તેમણે જણાવ્યુંહતું કે, ગામ, ગરીબ, ખેડૂત, આદિવાસી, દલિત, પછાત, શોષિત, વંચિત, અને આર્થિક રૂપથી પછાત તથા મધ્યમ વર્ગના લોકોને સશક્ત અને સક્ષમ બનાવવાવાળું બજેટ હોવાનો દાવો કર્યો છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવના આદિવાસી સમાજ અને નાના ઉદ્યોગો માટે આ બજેટ ખુબ જ લાભદાયી હોવાનું જણાવ્યું હતું. તેમણે મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલું 2023-24નું બજેટ અમૃત કાળની મજબૂત આધારશીલા રાખવાની સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પને પણ ઔર ગતિ આપનારૂં ગણાવ્યું હતું.