January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને હરદીપસિંહ પૂરી સમક્ષ દમણ-દીવમાં ફિશરીઝ સોસાયટી દ્વારા સંચાલિત ડિઝલ પંપોને જથ્‍થાબંધ ગ્રાહકની શ્રેણીમાંથી બાકાત કરવા પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની રજૂઆત

ફિશરીઝ સોસાયટી સંચાલિત ડિઝલ પંપોને જથ્‍થાબંધ ગ્રાહકની શ્રેણીમાં સમાવવાથી માર્કેટના અન્‍ય ડિઝલ પંપો કરતા રૂા.રરથી રપ પ્રતિ લીટરે મોંઘુ પડતુ ડિઝલ : સરકારના નિર્ણયથી પ્રદેશના માછીમાર સમુદાયને પડેલો મરણતોલ ફટકો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે કેન્‍દ્રીય મત્‍સ્‍યપાલન અને પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા અને કેન્‍દ્રીય પેટ્રોલીયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય મંત્રી શ્રી હરદિપસિંહ પૂરીને એક પત્ર લખી દમણ-દીવની ફિશરીઝ સોસાયટી દ્વારા સંચાલિત ડિઝલ પંપોને જથ્‍થાબંધની શ્રેણીમાં મુક્‍તા માર્કેટના અન્‍ય પેટ્રોલપંપો કરતા રૂા.રરથી રપ પ્રતિ લીટર ડિઝલ મોંઘુ ખરીદવા પડી રહ્યું હોવાથી પ્રદેશના મત્‍સ્‍યોદ્યોગને મરણતોલ ફટકો પડી રહ્યો હોવાની લાગણી વ્‍યક્‍ત કરી છે અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલે સાગરખેડુઓની ફિશરીઝસોસાયટી દ્વારા સંચાલિત ડિઝલ પંપોને જથ્‍થાબંધ વપરાશકર્તાની શ્રેણીમાંથી બહાર કાઢી સામાન્‍ય ડિઝલપંપોની સમકક્ષ ભાવ રાખવા માંગણી કરી છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે પોતાના પત્રમાં જણાવ્‍યું હતું છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્‍દ્ર શાસિત પ્રદેશના દમણ અને દીવ દરિયા કિનારે આવેલા જિલ્લાઓ છે અને અહી મોટાભાગની વસ્‍તી માછીમારીના વ્‍યવસાય સાથે સંકળાયેલી છે.
આ વ્‍યવસાય સાથે હજારો પરિવારોની આજીવિકા જોડાયેલી છે. તાજેતરમાં કેન્‍દ્ર સરકાર દ્વારા ડીઝલના ભાવમાં બલ્‍ક ડીઝલ ગ્રાહકો માટે વધારો કરવામાં આવ્‍યો છે. એક માછીમાર સાગરખેડૂ માછલી પકડવાની પોતાની હોડી ડીઝલ ઉપર ચલાવે છે અને વર્ષોથી ચાલી આવેલી વ્‍યવસ્‍થા અનુસાર માછીમાર સોસાયટીના આ ડીઝલ પંપના કારણે માછીમાર ભાઈએ મનોનીત પોતાના સોસાયટીના ડીઝલ પંપથી ડીઝલ ખરીદવું પડે છે
હવે માછીમાર સમાજના આ ડીઝલ પંપ‘થોકબંધ’ની શ્રેણીમાં આવવાથી, માછીમાર બંધુઓને ‘સામાન્‍ય વપરાશ’ શ્રેણીથી રરથી રપ રૂપિયે મોઘું ડિઝલ ખરીદવું પડે છે. જે તેમના માટે આર્થિક રીતે અસહનીય છે.
માછલી પકડવાનો વ્‍યવસાય એક સાહસિક અને જોખમ ભરેલો છે.છેલ્લા વર્ષોમાં કુદરતી આફત અને અન્‍ય જોખમોથી ઘેરાયેલા આ ધંધાને કોરોનામાં ઘણીઅસર થઈ છે. તેથી, શ્રી દિપેશભાઈ ટંડેલે પત્રમાં વિનંતી કરતા જણાવ્‍યું હતું કે સાગર ખેડુને ડીઝલના વધેલા ભાવોમાંથી મુક્‍તિ આપવામાં આવે જેથી સાગરખેડૂઓ પોતાનો આ વ્‍યવસાય સરળતાથી ચલાવી શકે એવી લાગણી વ્‍યક્‍ત કરી છે.

Related posts

સંઘપ્રદેશમાં ભાજપનામિશન-2024નો આરંભઃ રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ દાનહના સંગઠનમાં ફૂંકેલા પ્રાણ

vartmanpravah

અત્‍યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી 42 ભક્‍તો રવાના

vartmanpravah

મલાવની મચ્‍છરે રેફ્રિજરેટર કંપની સામે કરવામાં આવેલી લેન્‍ડગ્રેબિંગ ફરિયાદની તપાસમાં વિલંબ થતા કલેકટરનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

વલસાડનગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ સીટી બસ સેવાનો હજારો રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો

vartmanpravah

મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિના ઉપલક્ષમાં શ્રદ્ધાંજલિ આપવા દાનહ જિલ્લાની 20 ગ્રામ પંચાયતો વચ્‍ચે યોજાયેલી વોલીબોલ અને ફૂટબોલની સ્‍પર્ધા

vartmanpravah

આજથી ઈગ્નૂ સત્રાંત પરીઓની શરૂઆત

vartmanpravah

Leave a Comment