Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણના આસિસ્‍ટન્‍ટ એક્‍સાઇઝ કમિશનર મોહિત મિશ્રાના પરિપત્ર અનુસાર સંઘપ્રદેશમાં મહાવીર જયંતિ પર ડ્રાય ડે જાહેર કરવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દમણ, તા.29
દમણના આસિસ્‍ટન્‍ટ એક્‍સાઇઝ કમિશનર શ્રી મોહિત મિશ્રાએ એક પરિપત્ર બહાર પાડીને જણાવ્‍યું હતું કે, મહાવીર જયંતિ નિમિત્તે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 14મી એપ્રિલના રોજ ડ્રાય ડે જાહેર કરવામાં આવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારત સરકારના ગળહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરીને, દમણ આબકારી વિભાગના આસિસ્‍ટન્‍ટ કમિશનર શ્રી મોહિત મિશ્રાએ એક પરિપત્ર બહાર પાડીને જણાવ્‍યું હતું કે, દેશમાં મહાવીર જયંતિ 14 એપ્રિલે ઉજવવામાં આવશે. મહાવીર જયંતિ પર ડ્રાય ડે હોવાથી દેશભરમાં દુકાનો, બાર અને હોટલોમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે.
આ ક્રમમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનની સૂચના અનુસાર, સંઘપ્રદેશમાં ડ્રાય ડે રહેશે.

Related posts

વાઘછીપા લૂંટના વોન્‍ટેડ આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડમાં રવિવારે સ્‍મશાન ભૂમિમાં 4 હજાર વૃક્ષો રોપાશે, 3 વર્ષ સુધી જતન પણ કરાશે

vartmanpravah

યુઆઇએ દ્વારા નિર્માણાધિન હોસ્પિટલ પ્રોજેક્ટ સ્થળની મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં લક્ષદ્વીપના કવરત્તીમાં સ્‍થાનિક લોકોએ વડાપ્રધાનશ્રીના ‘મન કી બાત’ કાર્યક્રમના 100મા એપિસોડને બિગ સ્‍ક્રીન ઉપરસાંભળ્‍યો

vartmanpravah

દમણ જિલ્લા અદાલતમાં યોજાયેલી લોક અદાલતમાં 35 કેસોનું સમાધાન કરાયું

vartmanpravah

દાનહ જિ.પં.ના સભાખંડમાં મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓને ઘન કચરા વ્‍યવસ્‍થાપનની આપેલી સમજ

vartmanpravah

Leave a Comment