Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-નવસારી જિલ્લામાં પ્રતિ સોમવારે ઉદ્યોગોનો વીજકાપ રહેશે : સરકારનો નિર્ણય

વિજ સંકટ અને ખેડૂતોને 8 કલાક વિજળી મળી રહે તે માટે રાજ્‍યના દરેક જિલ્લા માટે વિવિધ વારે ઉદ્યોગોનો વિજ સપ્‍લાય કાપ જાહેર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.31
રાજયમાં વીજ સંકટ વધુને વધુ ઘેરુ બની રહ્યું છે તેથી સરકાર દ્વારા ઉદ્યોગો માટે પ્રતિ સોમવારે એક દિછસ વીજ સપ્‍લાય બંધ કરી દેવાનો નિર્ણય છે. એ મુજબ વલસાડ-નવસારી જિલ્લામાં પ્રતિ સોમવારે ઉદ્યોગો માટે વિજ કાપ રહેશે અને રજા રાખવાનું જાહેર કરવામાં આવ્‍યુ છે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા રાજ્‍યની વીજ કંપનીઓને એક પરિપત્ર મોકલવામાં આવ્‍યો છે. જેમાં રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ વારે ઉદ્યોગોમાં વિજ કાપ અમલી બનશે. ખેડૂતોને ખેતરોમાં પુરતી વિજળી મળી રહે તે મટે આ નિર્ણયલેવાયો છે.
ઉલ્લેખનીય છે કે સિંચાઇ માટે વિજળી નહી મળતી હોવાથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તે વિરોધને ધ્‍યાને રાખી સરકારે નિર્ણય કર્યો છે. દરેક જિલ્લામાં વારાફરતી વિજકાપ રહેશે. તેમુજબ વલસાડ, નવસારી અને વલસાડ જિલ્લામાં સોમવારે ઉદ્યોગ માટે વિજકાપ રહેશે.

Related posts

રવિવારે જીએનએલયુ કેમ્‍પસ સેલવાસમાં નિઃશુલ્‍ક કોમન લૉ એડમિશન ટેસ્‍ટ ‘સીએલએટી’ માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં 100 દિવસમાં ખેડૂતો પાસે 110.38 કિવન્‍ટલ બીજ ખરીદીનો 100 ટકા લક્ષ્યાંક સિધ્‍ધ, 3 ખેડૂતોને રૂા.171089 ચૂકવાયા

vartmanpravah

દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માના માર્ગદર્શનમાં દપાડા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

યુનોનું સભ્‍યપદ મેળવ્‍યા પછી થોડા જ સમયમાં એટલે કે 22 ડિસેમ્‍બર 1955ના રોજ પોર્ટુગલે ભારત વિરૂદ્ધ હેગ ખાતેના આંતરરાષ્‍ટ્રીય ન્‍યાયાલયમાં પોતાનો દાવો દાખલ કર્યો

vartmanpravah

મોટી દમણ દીવાદાંડી : શરદમાં વસંતનો આવિષ્‍કાર: ઓટ્‍મન (શરદ) મેળાએ ફકત પર્યટકોનું જ નહીં પરંતુ સ્‍થાનિક લોકોનું પણ મન મોહી લીધું : પ્રશાસક પ્રફુલભાઈ પટેલની શ્નપારખુઙ્ખનજર પડતા જૂના લાઈટ હાઉસની બદલાયેલી શકલ અને સૂરત

vartmanpravah

પારડી ફાટક વચ્‍ચે મુંબઈ પોરબંદર એક્‍સપ્રેસના વ્‍હિલમાં ખામી સર્જાતા ટ્રેન કલાકો સુધી અટકી પડી

vartmanpravah

Leave a Comment