(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોલીસ દ્વારા એક વર્ષમાં 295 નંગ મોબાઈલ જેની અંદાજીત કિંમત 42 લાખ રૂપિયા જેને અલગ અલગ રાજ્યમાંથી રીકવર કરવામા આવ્યા છે.
પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્વામી દ્વારા 21 ફેબ્રુઆરી 2021ના રોજ ખોવાયેલા, છીનવાઈ ગયેલ અને ચોરી થયેલ મોબાઈલ ફોનને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ટીમ આઇટી સેલના પોલીસ અધિકારીઓની એક ટીમ બનાવી હતી. જેઓ દ્વારા મોબાઈલ ફોન શોધવામા સફળતા મળી હતી.
યુટી સાથે અન્ય રાજ્ય ઉત્તરપ્રદેશ, તામિલનાડુ, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાથી ડીજીટલ સર્વેલન્સ અને ગુપ્ત સાધનો દ્વારા કેટલાક કુખ્યાત અપરાધી મોબાઈલફોનની ચોરીમા સામેલ જોવા મળ્યા હતા. જેઓની ધરપકડ કરવામા આવી હતી. જે મોબાઈલ રીકવર કરવામા આવ્યા છે એના જેઓ માલિક છે તેઓને શોધી યોગ્ય દસ્તાવેજ જમા કરાવ્યા બાદ તેઓને મોબાઈલ પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્વામી અને એમની ટીમ દ્વારા સુપ્રત કરવામા આવ્યા હતા.ડીઆઈજી શ્રી વિક્રમજીત સિંહે કામગીરીની સરાહના કરી ટીમને પુરસ્કળત કરવામા આવી હતી.