October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-નવસારી જિલ્લામાં પ્રતિ સોમવારે ઉદ્યોગોનો વીજકાપ રહેશે : સરકારનો નિર્ણય

વિજ સંકટ અને ખેડૂતોને 8 કલાક વિજળી મળી રહે તે માટે રાજ્‍યના દરેક જિલ્લા માટે વિવિધ વારે ઉદ્યોગોનો વિજ સપ્‍લાય કાપ જાહેર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.31
રાજયમાં વીજ સંકટ વધુને વધુ ઘેરુ બની રહ્યું છે તેથી સરકાર દ્વારા ઉદ્યોગો માટે પ્રતિ સોમવારે એક દિછસ વીજ સપ્‍લાય બંધ કરી દેવાનો નિર્ણય છે. એ મુજબ વલસાડ-નવસારી જિલ્લામાં પ્રતિ સોમવારે ઉદ્યોગો માટે વિજ કાપ રહેશે અને રજા રાખવાનું જાહેર કરવામાં આવ્‍યુ છે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા રાજ્‍યની વીજ કંપનીઓને એક પરિપત્ર મોકલવામાં આવ્‍યો છે. જેમાં રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ વારે ઉદ્યોગોમાં વિજ કાપ અમલી બનશે. ખેડૂતોને ખેતરોમાં પુરતી વિજળી મળી રહે તે મટે આ નિર્ણયલેવાયો છે.
ઉલ્લેખનીય છે કે સિંચાઇ માટે વિજળી નહી મળતી હોવાથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તે વિરોધને ધ્‍યાને રાખી સરકારે નિર્ણય કર્યો છે. દરેક જિલ્લામાં વારાફરતી વિજકાપ રહેશે. તેમુજબ વલસાડ, નવસારી અને વલસાડ જિલ્લામાં સોમવારે ઉદ્યોગ માટે વિજકાપ રહેશે.

Related posts

ઉમરગામ તાલુકાની સરકારી શાળાઓમાં ગુણવત્તા યુક્‍ત શિક્ષણ અને સુવિધાના અભાવથી વિદ્યાર્થીઓનીદયનીય હાલત

vartmanpravah

પોર્ટુગલ હવે કાયદાને આધાર બનાવીને ભારતને લડત આપવા માગતું હતું

vartmanpravah

રાજ્‍ય કક્ષાના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ભીલાડથી મળી આવેલી અજાણી મૃત મહિલાના વાલી વારસો સંપર્ક કરે

vartmanpravah

ચીખલીના નોગામા અને ટાંકલમાં સ્‍થાનિક ગ્રામ પંચાયતને જાણ કર્યા વિના સર્વેની કામગીરી કરતી ખાનગી એજન્‍સીની ટીમને સ્‍થાનિકોએ અટકાવી રવાના કરી

vartmanpravah

નવસારી જિલ્લા વિકાસ અધિકારીની અધ્‍યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment