April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે ચાલતા રસ્‍તા વિવાદની ફરી મામલતદાર કચેરીને કરેલી રાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.03
સરીગામ પંચાયત હદમાં નિર્માણ થયેલ ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે લાંબા સમયથી રસ્‍તાની બાબતે ચાલતો વિવાદ ફરી નિર્ણય માટે મામલતદાર કચેરીમાં પહોંચ્‍યો છે. ભીલાડ લઘુ ઉદ્યોગના પાછળના ભાગે મુલચંદ લખમશી નાગડાની સર્વે નંબર 437/બની જમીન આવેલી છે. આ જમીન ખરીદના પ્રારંભ કાળથી વિવાદનું સર્જન થયેલું છે. જેમાં રસ્‍તા બાબતે ચાલતા વિવાદમાં ઉમરગામ મામલતદારે 2008ની સાલમાં રસ્‍તો ખુલ્લો કરી આપવા હુકમ કરેલાનું જાણવા મળી રહ્યું છે. ત્‍યારબાદ પ્રાંત કચેરી ખાતે પણ 2009ની સાલમાં મામલતદારના હુકમને યથાવત રાખવા ઓર્ડર કરેલ હોવાનું ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્‍યું છે.
હાલમાં આ જમીન ઉપર અવર-જવર બંધ કરવા માટે પાકી દિવાલનું બાંધકામ કરતા ફરિયાદીએ ન્‍યાય માટે ઉમરગામ મામલતદાર કચેરીએ રજૂઆત કરી છે. હવે આ બાબતે આવતીકાલે ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરની ઉપસ્‍થિતિ વચ્‍ચે રજૂઆત સાંભળવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.

Related posts

પારડી હાઈવે ઉપર પેટ્રોલ ભરેલુ હેવી ટેન્‍કર ખાડામાં પટકાયું : પેટ્રોલ લીકેજ નહીથતા મોટી હોનારત ટળી

vartmanpravah

વાપી થર્ડફેઝમાં મોબાઈલ રીચાર્જ કરાવી માલિકે પૈસા માંગતા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

ચીખલી-રૂમલાના આંબાપાડા અને ચિકારપાડામાં મોબાઈલ નેટવર્ક નહીં પકડાતા ધારાસભ્‍યને રાવ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભાજપએ વિધાનસભાની તમામ પાંચ બેઠકો જીતી હિસ્‍ટોરિકલ વિક્‍ટરી નોંધાવી

vartmanpravah

એંઠવાડો ઉલેચી કચરો કે પ્લાસ્ટિક ખાતી, રઝળતી અને કત્તલખાને કપાતી ગાયનું રક્ષણ કરવું એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે

vartmanpravah

દાનહમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

Leave a Comment