Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કેવડિયા કોલોનીના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવતા  ભીલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખ સુમનભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં વલસાડ જીલ્લા કલેક્‍ટરશ્રીની આવેદનપત્ર અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04
સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી ખાતે કેવડિયાકોલોનીના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવી હતી. જે બાબતે આજે ભીલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખશ્રી સુમનભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં વલસાડ જીલ્લા કલેક્‍ટરશ્રીની આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.
સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, કેવડિયા કોલોનીના નાયબ કલેકટર શ્રી નિલેશ દુબે દ્વારા આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવી હતી કે આદીવાસી સમાજને પહેલા ખાવાનું મળતું ન હતું..બહાર બેસતા હતા…ચડી પહેરતા થયા.. જંગલની જડીબુટ્ટી ખાયને જીવે છે. આ મુજબના અપશબ્‍દો પોતાના સીઆઈએસએફ અધિકારી સાથે ફોન ઉપર આદિવાસી સમાજ માટે ઉચ્‍ચારણ કરતાં હતાં અને આ વાતચીતનો ઓડીયો-સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયાં બાદ સમગ્ર ગુજરાત રાજ્‍યના આદિવાસીઓનો આક્રોશની લહેર ગામે ગામ વ્‍યાપક બની હતી. આથી આવા સામાજિક ભેદભાવ ધરાવતા નિવેદનો કરનાર અધિકારી વિરુદ્ધ એટ્રોસિટી એકટ અંતર્ગત કાર્યવાહી કરી તેમને સરકારી જવાબદારી યુકત નોકરીમાંથી મૂકત કરી દેવા જોઈએ. જેથી કરીને જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો અને અધિકારીઓ સમજી જાય..કે આદીવાસી સમાજ જળ જંગલ જમીનનો માલિક છે. આ દેશનોમૂળ માલિક છે.તેમને ભારતના બંધારણ દ્વારા અપાયેલા હકો અનુસાર કોઈ પણ વ્‍યક્‍તિ અથવા અધિકારી તેમની લાગણીઓ સાથે છેડછાડ કરી શકશે નહીં.આ દેશમાં વ્‍યક્‍તિ, સંસ્‍થા, વહીવટીતંત્ર, સરકાર બધું ભારતના બંધારણને આધીન છે. આ ઉપરોકત સંવેદનશીલ બાબતની વેદના આવેદનપત્ર મારફતે વલસાડ જીલ્લા કલેકટરશ્રીને જણાવી આ મુદ્દે કલેકટરશ્રી આદીવાસી સમાજની લાગણી સરકારશ્રીને પહોંચાડે એવી રજૂઆત કરવામાં આવી હતી.

Related posts

ચીખલી તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખપદે રાકેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે રમેશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા

vartmanpravah

પારડીમાં સ્‍વાધ્‍યાય મંડળ દ્વારા બાહ્ય આડંબર કે ખોટા ખર્ચાઓ ન કરી ગણેશજીની પ્રતિમાનુંકરાયેલું સ્‍થાપન

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે ‘ભારત રત્‍ન’ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલા શ્રદ્ધા સુમન

vartmanpravah

વાપીનું ગૌરવ: આરજીયુએચએસ – કર્ણાટક યુનિવર્સિટીમાં ડૉ.અદિતિ ગાંધીએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો

vartmanpravah

વાપી-દમણના સર્વોદય સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાનું વાપી સ્‍પંદન પરિવાર દ્વારા કરાયેલું સન્‍માન

vartmanpravah

ભારત સરકારના સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે સેલવાસમાં જન ઔષધિ કેન્‍દ્રની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment