January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલ્લભ આશ્રમ સ્‍કૂલ સામે હાઈવે પર રાત્રિ દરમિયાન બ્રિજ ડીવાઈડર નજરે ન ચઢતા વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

જવાબદાર તંત્ર રોડ માર્કિંગ કે પછી રાત્રિમાં રિફલેક્‍ટર લાઈટ લગાવે એ ખૂબ જ જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: પારડી નેશનલ હાઈવે પર પારડી ચાર રસ્‍તા બ્રિજની શરૂઆતમાં અને વલ્લભ આશ્રમ સામે હાઈવે બ્રિજની શરૂઆતમાં બ્રિજની ડીવાઈડર આગળ રોડ માર્કિંગના પટ્ટા અને રિફલેક્‍ટર લાઈટ ના અભાવે રાતે હાઈવેથી જતાં વાહનચાલકો બ્રિજ શરૂઆતના ડીવાઈડર જોઈ શકતા નથી જેને લઈ વાહનો બ્રિજ ડીવાઈડર સાથે અથડાય ઉપર ચઢી જતાં ગંભીર અકસ્‍માતો સર્જાય રહ્યા છે. ત્‍યારે ફરી એક વાર બુધવારના મળસ્‍કે ચારેક વાગ્‍યે પારડી વલ્લભ આશ્રમ સ્‍કૂલ સામે હાઈવેથી પસાર થતું ડમ્‍પર નંબર ડીડી 01-એલ-9980 નોચાલક બ્રિજ મોહન તિવારી અંધકારમાં બ્રિજ ડીવાઈડર જોઈ ન શકતા ડમ્‍પર ડીવાઈડર પર ચઢી જતાં ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. સદ નસીબે ડમ્‍પર પલટી મારતા બચ્‍યું હતું. આ અકસ્‍માતમાં ડમ્‍પરના આગળ ના બને વ્‍હીલો છૂટા પડી ગયા હતા. આ બાબતની જાણ થતાં હાઈવે ટ્રાફિક પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતી અને બબ્‍બે ક્રેન મંગાવી ડમ્‍પર સાઈડે કરાવ્‍યુ હતું. પારડી ચાર રસ્‍તા બ્રિજની શરૂઆતમાં અને વલ્લભ આશ્રમ સામે હાઈવે બ્રિજની શરૂઆતમાં રાત્રીએ સર્જાતા અકસ્‍માત રોકવા રોડ માર્કિંગ કે પછી રાત્રિમાં રિફલેક્‍ટર લાઈટ લગાવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.

Related posts

સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્‍તાવ

vartmanpravah

ચીખલી તાલુકામાં પ્રાથમિક શિક્ષકો અને આરોગ્‍ય કર્મચારીઓને અડધો એપ્રિલ વિતવા છતાં માર્ચ મહિનાનો પગાર ન થતાં કર્મચારીઓમાં ફેલાયેલી નારાજગી

vartmanpravah

દમણ પરિવહન વિભાગે ઓટોરીક્ષા, ટેક્ષી તથા બસ ચાલકોની આંખની તપાસ માટે યોજેલો મેગા આઈ ચેકઅપ કેમ્‍પ

vartmanpravah

કપરાડા-3(માંડવા) 108ની ટીમે એક જ દિવસમાં બે મહિલાઓની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી

vartmanpravah

‘વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા ભાજપા દ્વારા શ્રી માછી મહાજન સ્‍કૂલમાં પ્રદર્શનીનું કરાયેલું આયોજન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા કૃષિ ક્ષેત્ર આત્મનિર્ભર થાય તે ઘણુ મહત્વનું છેઃ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા:- આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રિ- વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજ્યના કૃષિ ક્ષેત્રમાં ૨૩૫૯ કરોડના એમઓયુ થયા

vartmanpravah

Leave a Comment