December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં અતિશય વરસાદ પડતા 20 જેટલા માર્ગો બંધ કરાયા

જિલ્લા પંચાયત દ્વારા જાહેર સલામતિ માટે કરાયેલી જાહેરાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ તમામ ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં પડી રહ્યો છે. તેથી વલસાડ જિલ્લા પંચાયતે સર્વે કર્યા બાદ જિલ્લાના વિવિધ 20 જેટલા માર્ગો બંધ રાખવાની આજે જાહેરાત કરી હતી.
વરસાદનો બીજો રાઉન્‍ડ હાલમાં ચાલી રહ્યો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી સતત વરસી રહેલા વરસાદથી અનેક ખાના ખરાબી સર્જાઈ છે. જિલ્લાના વિવિધ માર્ગો પાણીમાં ગરકાવ થયા છે તો ક્‍યાંક કોઝવે ઓવરફલો થઈ રહ્યા છે તેથી જાહેર સલામતિને ધ્‍યાને રાખીને વલસાડ જિલ્લા પંચાયતે 20 જેટલા માર્ગો બંધ રાખવાની જાહેરાત કરી છે. કારણ કે હજુ બે થી ત્રણ દિવસ વધુ વરસાદ આવવાની આગાહી હવામાન ખાતાએ કરી છે અને તે મુજબ લગાતાર રાત-દિવસ વરસાદ પડી પણ રહ્યો છે. નદી, નાળા, કોઝવે અને નિચાણવાળા વિસ્‍તારો વરસાદી પાણીમાં ઠેર ઠેર થઈ રહ્યા છે તેથી રસ્‍તાઓપણ પાણીમાં ડૂબી જવાથી રસ્‍તાઓ જાહેર હીતને ધ્‍યાને લઈ જિલ્લા પંચાયતે 20 રસ્‍તા બંધ કર્યા છે.

Related posts

દમણના યુવા ક્રિકેટર ઉમંગ ટંડેલે સુરત ક્રિકેટ લીગમાં સતત બે અડધી સદી ફટકારી

vartmanpravah

વલસાડમાં આદિવાસી સંઘર્ષ મોરચા દ્વારા જમીન સહિતની પડતર માંગણીઓ માટે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વીજ દરના વધારા-ઘટાડાના સંદર્ભમાં જેઈઆરસીની જન સુનાવણી 

vartmanpravah

સેલવાસ રિવર ફ્રન્‍ટ પર આવતા પ્રવાસીઓને વેક્‍સીન અપાઈ

vartmanpravah

રવિવારે રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વલસાડ જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાશે જિલ્‍લામાં 6 કડિયાનાકા ખાતે લાભાર્થીઓને લાભ મળશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલની સ્વપ્નદ્રષ્ટા પહેલની ફળશ્રુતિ રૂપે સેલવાસના જૂના સચિવાલય સંકુલમાં 6 અને 7 ફેબ્રુઆરીએ નવા લેબર કોડ્‍સ અંગે વર્કશોપ યોજાશે

vartmanpravah

Leave a Comment