April 19, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર ચેળુબા માતાજીના ધામ ખાતે રામનવમીના દિવસે હવન અને મહાપ્રસાદનું આયોજન

મોટી દમણ નજીક આવેલા પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીના સ્‍થાનકનો વિસ્‍તાર નૈસર્ગિક સૌંદર્યથી રમણિય અને ફરતે ઐતિહાસિક કિલ્લાથી ભવ્‍ય ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર આવેલા કિલ્લાના હોજમાં ભર ઉનાળે પણ રહેતું પાણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
મોટી દમણની નજીક આવેલા પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીના ધામ ખાતે અગામી તા.10મી એપ્રિલના રોજ રામનવમીના પર્વ નિમિત્તે હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
મોટી દમણ નજીક પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીનું ઐતિહાસિક મહત્‍વ છે. આ ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર આવેલા પાણીના હોજમાં ભરઉનાળે પણ પાણી રહે છે. આજુબાજુ આવેલા કિલ્લાના કારણે આ વિસ્‍તારના સૌંદર્યને પણ ચાર ચાંદ લાગેલા છે. ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીના ચમત્‍કારથી અનેક ભક્‍તજનો પ્રભાવિત થયા હોવાથી દરવર્ષે સેંકડો ભક્‍તો આ સ્‍થળની મુલાકાતે આવે છે.

Related posts

હિંમતનગરની માનવ ગાયનેક હોસ્પિટલમાં મોડી રાત્રે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) હિંમતનગર, તા.14:

vartmanpravah

રાજ્‍યના નાણાં ઊર્જા અને અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘‘નિર્મળ ગુજરાત 2.0” અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વાપી વિસ્‍તારના ગણેશ પંડાલની મુલાકાત લઈ દર્શન કર્યા

vartmanpravah

સરીગામ-2 બેઠકના તાલુકા પંચાયતના સભ્‍ય સહદેવ વઘાતે સભ્‍યપદ પરથી આપેલુંરાજીનામું

vartmanpravah

ટ્રક ડ્રાઈવરોના આંદોલનને લઈ વલસાડ જિલ્લામાં પેટ્રોલ પમ્‍પ ઉપર પેટ્રોલની ઉભી થયેલી અછત

vartmanpravah

સેલવાસના બાવિસા ફળિયામાં ઘરમાં આગ લાગતા એક યુવતી દાઝી જતાં આઈ.સી.યુ.માં સારવાર હેઠળ

vartmanpravah

Leave a Comment