Vartman Pravah
Breaking Newsદમણ

પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર ચેળુબા માતાજીના ધામ ખાતે રામનવમીના દિવસે હવન અને મહાપ્રસાદનું આયોજન

મોટી દમણ નજીક આવેલા પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીના સ્‍થાનકનો વિસ્‍તાર નૈસર્ગિક સૌંદર્યથી રમણિય અને ફરતે ઐતિહાસિક કિલ્લાથી ભવ્‍ય ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર આવેલા કિલ્લાના હોજમાં ભર ઉનાળે પણ રહેતું પાણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
મોટી દમણની નજીક આવેલા પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીના ધામ ખાતે અગામી તા.10મી એપ્રિલના રોજ રામનવમીના પર્વ નિમિત્તે હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
મોટી દમણ નજીક પાલી કરમબેલીના ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીનું ઐતિહાસિક મહત્‍વ છે. આ ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર આવેલા પાણીના હોજમાં ભરઉનાળે પણ પાણી રહે છે. આજુબાજુ આવેલા કિલ્લાના કારણે આ વિસ્‍તારના સૌંદર્યને પણ ચાર ચાંદ લાગેલા છે. ઈન્‍દ્રગઢ ડુંગર ઉપર બિરાજમાન ચેળુબા માતાજીના ચમત્‍કારથી અનેક ભક્‍તજનો પ્રભાવિત થયા હોવાથી દરવર્ષે સેંકડો ભક્‍તો આ સ્‍થળની મુલાકાતે આવે છે.

Related posts

વલસાડની પાઠશાળામાં અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા પર્યાવરણ દિન ઉજવાયો

vartmanpravah

દીવ કોલેજમાં નર્મદ જયંતિ તેમજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહમાં આદિવાસી સમાજ દ્વારા નાંદરવો દેવની પૂજા કરાઈ

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ઈન્‍ટર કોલેજ ટેબલ ટેનિસ વૂમન ટૂર્નામેન્‍ટમાં સિલ્‍વર મેડલ પ્રાપ્ત કર્યો

vartmanpravah

વલસાડના રોલા ગામે ચૂંટણી પરિણામ બાદ જીતના જોશમાં હારેલા મહિલા ઉમેદવાર ઉપર રોકેટ છોડયા

vartmanpravah

દાનહ અને દમણ-દીવના દરેક જિલ્લામાં અનુ.જાતિ મોર્ચા દ્વારા મૌન-ધરણાં યોજાયા

vartmanpravah

Leave a Comment