Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણવાડા મંડળ ખાતે ભાજપના 42માં સ્‍થાપના દિવસની કરાયેલી ઉજવણી

કાર્યક્રમ પ્રભારી પ્રિયાંક પરમાર, મંડળ ઈન્‍ચાર્જ કિરીટ દમણિયા તથા મંડળ પ્રમુખ વિષ્‍ણુ બાબુ દ્વારા કરાયેલું ભવ્‍ય આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
ભારતીય જનતા પાર્ટીના 42માં સ્‍થાપના દિવસની ઉજવણી આજે દમણવાડા મંડળ ખાતે પ્રદેશ ભાજપ પ્રભારી અને રાષ્‍ટ્રીય મંત્રી શ્રીમતી વિજ્‍યા રહાટકરના માર્ગદર્શન અને પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલની સલાહથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્‍થાપના દિવસ ઉજવણીના પ્રભારી શ્રી પ્રિયાંક પરમાર, દમણવાડા મંડળના ઈન્‍ચાર્જ શ્રી કિરીટભાઈ દમણિયાની ઉપસ્‍થિતિ વચ્‍ચે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કાર્યકરોને કરેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણવાડા મંડળ કાર્યક્રમના પ્રભારી શ્રી પ્રિયાંક પરમારે 42 વર્ષમાં ભાજપે છેવાડેના લોકોના ઉદ્ધાર માટે કરેલા કામોની વિગત આપી હતી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સબકા સાથ, સબકા વિકાસ,સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનો ઉલ્લેખ કરી પ્રદેશમાં જન જન સુધી ભાજપ સરકારની સિદ્ધિઓ પહોંચાડવા હાકલ કરી હતી.
આ પ્રસંગે કાર્યકરો સાથે એક રેલીનું પણ આયોજન કરાયું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દમણવાડા મંડળ પ્રમુખ શ્રી વિષ્‍ણુ બાબુ અને શ્રી કેવલ ખારવાએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, શ્રીમતી પ્રિતિ હળપતિ, શ્રીમતી ઉર્વિશાબેન બારી, શ્રીમતી કલ્‍પનાબેન હળપતિ સહિતના કાર્યકરો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું ફિજી ખાતે હાઈ કમિશનર પી.એસ.કાર્થિગેયને કરેલું ઉષ્‍માભર્યું અભિવાદન

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ તથા જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલ દ્વારા દમણમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્‍થા દ્વારા આત્‍મનિર્ભર કિસાન અભિયાનનો કરાવેલો પ્રારંભ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની સાથે દમણ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં પ્રત્‍યક્ષ જઈ પોષણ કિટનું કરેલું વિતરણ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ચૈત્ર નવરાત્રી અને ગુડી પડવાની ભવ્‍ય ઉજવણી : અંબામાતા મંદિરે પ્રથમ નોરતાએ ભક્‍તો ઉમટયા

vartmanpravah

દમણ કોર્ટમાં થયેલી ‘વિશ્વ વસતિ દિવસ’ની ઉજવણી

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમ ખરા અર્થમાં પ્રજાના પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવનાર સાબિત થયોઃ વલસાડના બે અરજદારનો જૂનો પ્રશ્ન ત્‍વરિત ઉકેલાયો

vartmanpravah

Leave a Comment