Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદીવદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમનું પરિણામ દીવઃ વણાંકબારા ખાતે અદ્યતન મત્‍સ્‍ય બંદરના નિર્માણ માટે ભારત સરકારની સૈધ્‍ધાંતિક મંજૂરી

ફિશિંગ હાર્બરના નિર્માણથી દીવના માછીમારોની દશા અને દિશા બદલાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.29 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વણાંકબારા ખાતે ‘પ્રધાનમંત્રી મત્‍સ્‍યસંપદા યોજના (પીએમએમએસવાય)’ અંતર્ગત રૂા.93.17 કરોડના ખર્ચથીફિશિંગ હાર્બર બનાવવા માટે ભારત સરકારે આજે સૈધ્‍ધાંતિક મંજૂરી આપી છે.
દીવ જિલ્લાના વણાંકબારા ખાતે અદ્યતન મત્‍સ્‍ય બંદરના નિર્માણ માટે ભારત સરકારની મળેલી સૈધ્‍ધાંતિક મંજૂરી બાદ આ પ્રોજેક્‍ટ આવતા દિવસોમાં પૂર્ણ થશે અને દીવ જિલ્લાના માછીમારો માટે સમૃદ્ધિના અનેક દરવાજા ખુલશે એવું આકલન પણ વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમના કારણે પ્રદેશના માછીમારોના જીવન-ધોરણને સુધારનારા અનેક મહત્‍વના નિર્ણયો લેવાયા છે. જે પૈકી વણાંકબારા ખાતે ફિશિંગ હાર્બરના નિર્માણથી આ વિસ્‍તારના માછીમારોને પોતાની મત્‍સ્‍ય સંપદાના વિતરણ વેચાણમાં પણ અનેક અનુકૂળતાઓ આવશે.
પ્રધાનમંત્રી મત્‍સ્‍યસંપદા યોજના અંતર્ગત 100 ટકા સેન્‍ટ્રલ આસિસ્‍ટન્‍સથી રૂા.93.17 કરોડના ખર્ચે દીવ જિલ્લાના વણાંકબારા ખાતે બનનારા ફિશિંગ હાર્બરથી દીવના માછીમારોની દિશા અને દશા બદલાશે એવો વિશ્વાસ પ્રગટ થઈ રહ્યો છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ અને કાર્યક્ષમ નેતૃત્‍વના કારણે દાનહ પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશનકોર્પોરેશને સતત બીજા વર્ષે પણ રૂા.105 કરોડનો રળેલો નફો

vartmanpravah

દાનહઃ પીપરીયાના નવા પુલ પર કારચાલકે ગાયને ટક્કર મારતા ઘાયલ

vartmanpravah

…તો દમણમાં એક ઘર પણ કાચું નહીં રહે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કોચીન ખાતે સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતને નિહાળવાનો લીધેલો લ્‍હાવો

vartmanpravah

ડહેલીથી મળેલા અજાણ્યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

દીવ ખાતે ચાર દિવસીય ઈ-ટીચર ટ્રેનિંગ સંપન્ન

vartmanpravah

Leave a Comment