Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

પ્રધાનમંત્રી કિસાન સન્માાનનિધિ યોજના e–KYC અને આધાર સીડિંગ ફરજિયાત

વલસાડ તા.૦૭: વલસાડ જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના અંતર્ગત જોડાયેલા અને લાભ લેતા ખેડૂતોને આગામી હપ્તાની સહાય મેળવવા માટે ‘‘આધાર e–KYC” અને ‘‘આધાર સીડિંગ” ફરજિયાત છે. આ કામગીરી તા. ૧૧ થી તા. ૨૧ મી એપ્રિલ, ૨૦૨૨ દરમિયાન ઝુંબેશના રૂપે હાથ ધરવામાં આવનાર હોઇ ઉકત સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રોએ સંબંધિત ગામના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક તથા વી.એલ.ઇ.નો સંપર્ક કરવાનો રહેશે.
આ કામ લાભાર્થી પોતે પણ કરી શકે છે. જે માટે ૧. OTP મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ https://pmkisan.gov.in/aadharekyc.aspx લીંક મારફત અથવા પીએમ કિસાન એપ ઉપરથી લાભાર્થીઓ આધાર e–KYC કરી શકાશે. અથવા બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન સુવિધા કોમન સર્વિસ સેન્ટવર (CSC) માં જઇ લાભાર્થી આધાર e–KYC કરાવી શકશે, જેનો ચાર્જ રૂ. ૧૫ લાભાર્થીએ આપવાનો રહેશે. ર. પીએમ કિસાન પોર્ટલ આધાર e–KYC કરવા માટે https://pmkisan.gov.in પોર્ટલ પર Farmers corner માં આપેલ ઓપ્શ ન e–KYC ઉપર ક્લીક કરી લાભાર્થીએ પોતાનો આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરી Get Mobile OTP પર ક્લી ક કરવાનું થાય છે, ત્યાકરબાદ Mobile OTP દાખલ કરી Get Aadhar OTP પર ક્લી ક કરવુ જેથી, આધાર સાથે મોબાઇલ નંબર લીંક હશે તે નંબર પર Aadhar OTP આવશે. Aadhar Registered Mobile OTP દાખલ કરી Submit for Auth બટન પર ક્લીક કરતાં e-KYC is Successfully Submitted ડિસ્પ્લે થાય ત્યારે પ્રોસેસ પૂર્ણ થશે.
પીએમ કિસાન યોજનામાં લાભાર્થી ખેડૂતોને આગામી એપ્રિલ, ૨૦૨૨ થી યોજનાનો લાભ ‘‘આધાર બેઝડ‘‘ પેમેન્ટ એટલે કે લાભાર્થીનું જે બેંક એકાઉન્ટી આધારકાર્ડ સાથે લીંક કરેલ હશે, તેમાં આપવામાં આવશે. આથી, જે લાભાર્થીઓના બેંક એકાઉન્ટર આધારકાર્ડ સાથે સીડિંગ કરવામાં આવ્યા્ ન હોય તે તમામ લાભાર્થીઓનું આધાર સીડિંગ કરાવવા માટે લાભાર્થીએ બેંકનો સંપર્ક કરવાનો રહેશે, એમ જિલ્લા ખેતીવાડી અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

vartmanpravah

નવી દિલ્‍હીના વિજ્ઞાન ભવન ખાતે દાનહ જિ.પં.ના અધ્‍યક્ષ નિશાબેન ભવર અને સી.ઈ.ઓ. અપૂર્વ શર્માએ પંચાયતી રાજમંત્રીના હસ્‍તે સ્‍વીકારેલો તૃતિય ‘સર્વોત્તમ પંચાયત પુરસ્‍કાર’

vartmanpravah

નમો એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા કરાયેલું પ્રશિક્ષણ શિબિરનું આયોજન

vartmanpravah

નવસારીમાં સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

સંઘપ્રદેશના લોકો સાથે પ્રશાસક તરીકે શરૂ કરેલી સહયાત્રાના 28મી ઓગસ્‍ટે પુરા થનારા 6 વર્ષ

vartmanpravah

કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment