Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણના મિટનાવાડ રામ મંદિર ખાતે 8મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવપૂર્વક કરાયેલી ઉજવણી

  • સમગ્ર રાષ્‍ટ્રમાં સર્વધર્મ સમભાવનું પ્રતિક બનેલું નાની દમણનું મિટનાવાડ રામ મંદિર

  • પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ શૌકત મીઠાણી દ્વારા આઠ વર્ષ પહેલા મિટનાવાડ રામ મંદિરનું કરાયેલું નિર્માણ : ધ્‍વજારોહણનો પણ શૌકતભાઈ મીઠાણીએ લીધેલો લ્‍હાવો

  • પાલખી ઉપાડવાનું પણ શૌકતભાઈ મીઠાણીને મળેલું સૌભાગ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
નાની દમણના મિટનાવાડ ખાતે રામ મંદિરના આઠમા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મિટનાવાડ ખાતેના રામ મંદિરનું નિર્માણ પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી શૌકતભાઈ મિઠાણી દ્વારા કરાયું હતું અને આજે આઠમાં પાટોત્‍સવ નિમિત્તે પણ ધ્‍વજારોહણનો લાભ શ્રી શૌકતભાઈ મિઠાણીનેમળ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મુસ્‍લિમ લઘુમતી સમુદાયના શ્રી શૌકતભાઈ મીઠાણી દ્વારા રામમંદિરનું નિર્માણ અને સતત આઠમાં વર્ષ સુધી પાટોત્‍સવમાં ઉપસ્‍થિત રહી ધ્‍વજારોહણનો પણ લ્‍હાવો મેળવી સમગ્ર રાષ્‍ટ્રમાં સર્વધર્મ સમભાવનું એક ઉત્તમ દૃષ્‍ટાંત પણ પૂラરુ પાડયું છે.
આજે પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી શૌકતભાઈ મીઠાણીના નેતૃત્‍વમાં ભગવાન રામની પાલખી યાત્રા પણ નિકળી હતી અને પાલખી ઉપાડવાનું સૌભાગ્‍ય પણ શ્રી શૌકતભાઈ મીઠાણીને મળ્‍યું હતું.
સમગ્ર દેશ માટે દમણના મિટનાવાડનું રામ મંદિર સર્વધર્મ સમભાવના પ્રતિકની સાથે બિનસાંપ્રદાયિકતાનું દૃષ્‍ટાંત પણ બન્‍યું છે.

Related posts

‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર’નો સંદેશ આપવા માટે આમલોકોની ભાગીદારી આવશ્‍યકઃ રમેશ કુંદનાની-પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રેસિડેન્‍ટ

vartmanpravah

ઉમરગામ પોલીસ સ્‍ટેશનનો ચોરીનો આરોપી કલસર ચેકપોસ્‍ટથી ઝડપાયો

vartmanpravah

આજે કલેક્‍ટર કચેરી ખાતે શાળા પ્રવેશોત્‍સવ અમલીકરણ સમિતિની બેઠક મળશે

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ સપ્તાહનો સમાપન કાર્યક્રમ

vartmanpravah

યોજાઈ : 99.34 ટકા મતદાન:  ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્‍ય વિજય વેપારી વિભાગની પેનલ અગાઉ બિનહરિફ ચૂંટાઈ હતી

vartmanpravah

ચીખલી સાદડવેલ ગામે શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દિપડો મળી આવ્યો

vartmanpravah

Leave a Comment