June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણના મિટનાવાડ રામ મંદિર ખાતે 8મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવપૂર્વક કરાયેલી ઉજવણી

  • સમગ્ર રાષ્‍ટ્રમાં સર્વધર્મ સમભાવનું પ્રતિક બનેલું નાની દમણનું મિટનાવાડ રામ મંદિર

  • પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ શૌકત મીઠાણી દ્વારા આઠ વર્ષ પહેલા મિટનાવાડ રામ મંદિરનું કરાયેલું નિર્માણ : ધ્‍વજારોહણનો પણ શૌકતભાઈ મીઠાણીએ લીધેલો લ્‍હાવો

  • પાલખી ઉપાડવાનું પણ શૌકતભાઈ મીઠાણીને મળેલું સૌભાગ્‍ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
નાની દમણના મિટનાવાડ ખાતે રામ મંદિરના આઠમા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મિટનાવાડ ખાતેના રામ મંદિરનું નિર્માણ પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી શૌકતભાઈ મિઠાણી દ્વારા કરાયું હતું અને આજે આઠમાં પાટોત્‍સવ નિમિત્તે પણ ધ્‍વજારોહણનો લાભ શ્રી શૌકતભાઈ મિઠાણીનેમળ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મુસ્‍લિમ લઘુમતી સમુદાયના શ્રી શૌકતભાઈ મીઠાણી દ્વારા રામમંદિરનું નિર્માણ અને સતત આઠમાં વર્ષ સુધી પાટોત્‍સવમાં ઉપસ્‍થિત રહી ધ્‍વજારોહણનો પણ લ્‍હાવો મેળવી સમગ્ર રાષ્‍ટ્રમાં સર્વધર્મ સમભાવનું એક ઉત્તમ દૃષ્‍ટાંત પણ પૂラરુ પાડયું છે.
આજે પ્રદેશ ભાજપ લઘુમતી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી શૌકતભાઈ મીઠાણીના નેતૃત્‍વમાં ભગવાન રામની પાલખી યાત્રા પણ નિકળી હતી અને પાલખી ઉપાડવાનું સૌભાગ્‍ય પણ શ્રી શૌકતભાઈ મીઠાણીને મળ્‍યું હતું.
સમગ્ર દેશ માટે દમણના મિટનાવાડનું રામ મંદિર સર્વધર્મ સમભાવના પ્રતિકની સાથે બિનસાંપ્રદાયિકતાનું દૃષ્‍ટાંત પણ બન્‍યું છે.

Related posts

વાપીની જાણીતી બે કંપની યુ.પી.એલ. અને આરતી ઈન્‍ડસ્‍ટ્રીઝ વચ્‍ચે જોઈન્‍ટ વેન્‍ચર આધારિત કરાર કરાયો

vartmanpravah

ચણોદ કોલોની સ્‍થિત સેન્‍ટ મેરી સ્‍કૂલમાં કબડ્ડી સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

ધરમપુરની ખારવેલ પ્રાથમિક શાળામાં તા.11-12 ઓક્‍ટો.એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે

vartmanpravah

જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે યોજાયેલો પુષ્‍પાંજલિ કાર્યક્રમ

vartmanpravah

દાદરા નગર હવેલી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

દાનહના કિલવણી ગામે વરસાદી માહોલને કારણે રસ્‍તાની હાલત બદતર

vartmanpravah

Leave a Comment