Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન

  • સવારે 9.30 વાગ્‍યે ભામટી કોમ્‍યુનિટી હોલથી મોટી દમણ કલેક્‍ટરાલયની પાછળ આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે શોભાયાત્રા ગ્રામસભામાં ફેરવાશે

  • શોભાયાત્રા અને વિશેષ ગ્રામસભામાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા અપાયેલું જાહેર આમંત્રણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.1ર

અગામી તા.14મી એપ્રિલ,ર0રરના ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી અને ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈદમણિયાના જણાવ્‍યા પ્રમાણે ભામટી કોમ્‍યુનિટી હોલ ખાતેથી સવારે 9.30 કલાકે ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું પ્રસ્‍થાન થશે અને 11.00 વાગ્‍યે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવનના સભાખંડમાં માનવમેદની વિશેષ ગ્રામસભામાં રૂપાંતરિત થશે.
ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રા અને વિશેષ ગ્રામસભામાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા સરપંચ અને ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

અયોધ્‍યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્‍મ ભૂમિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપલક્ષમાં સોમવાર તા.22મી જાન્‍યુ.એ સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં દારુ-બિયરની દુકાનો અને નોનવેજનું વેચાણ બંધ રહેશે

vartmanpravah

દાનહ પોલીસે ઘરફોડ ચોરીના ચાર રીઢા આરોપીઓની કરી ધરપકડ

vartmanpravah

સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા દાનહના ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડને આધુનિકરણ માટે કલેક્‍ટરને આવેદન પત્ર આપ્‍યું

vartmanpravah

દમણ-દીવના ઓરિસ્‍સાવાસીઓએ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની કરાયેલી પસંદગીને આવકારી અને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો વ્‍યક્‍ત કરેલો આભાર

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન‘રાજધર્મ’ નિભાવેઃ દમણ-દીવના 42 શિક્ષકો પ્રત્‍યે સંવેદના રાખવાની આવશ્‍યકતા

vartmanpravah

વાપીથી ટ્રેનમાં બિહાર સમસ્‍તીપુર જવા નિકળેલ યુવાન ટ્રેનમાંથી ગુમ

vartmanpravah

Leave a Comment