July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાનહઃ ઉમરકૂઈ સ્‍થિત યુ.ડી.ફાર્મા રબર પ્રોડક્‍ટ્‍સ કંપનીના કામદારો પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા

પ્રશાસન દ્વારા અગાઉ પણ લઘુત્તમ વેતન દરો નહીં ચુકવતી કંપનીઓ સામે કડક પગલાં ભરવાની ચિમકીઓ આપી હતી, પરંતુ ચિમકીઓ ફક્‍ત કાગળ ઉપર જ હોવાની થઈ રહેલી પ્રતિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : ગુજરાતના વલસાડ અનેમહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સાડાત્રણ હજાર કરતા વધુની સંખ્‍યામાં નાના-મોટા ઉદ્યોગો આવેલા છે. જેમાં હજારોની સંખ્‍યામાં કામદારો કામ કરી પેટિયું રળતા હોય છે. પરંતુ કેટલાક કંપની સંચાલકો દ્વારા કામદારોને લઘુત્તમ વેતન દરો નહીં ચુકવાતા હોવાની ફરિયાદો છાશવારે ઉઠતી રહે છે અને છેલ્લે કામદારો હડતાળનું શસ્ત્ર ઉગામતા હોય છે. તેની કડીમાં આજે ઉમરકૂઈ ગામ ખાતે આવેલ યુ.ડી.ફાર્મા રબર પ્રોડક્‍ટ્‍સ કંપની સંચાલકો દ્વારા કામદારોને નિર્ધારિત લઘુત્તમ વેતન દર પ્રમાણે પગાર નહીં ચુકવાતો હોવાના મુદ્દે અને કંપનીમાં નોકરી કરતી પાંચ યુવતિઓને કાઢી મુકવા બાબતે કામદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે.
કામદારોના જણાવ્‍યા પ્રમાણે અમને કંપની સંચાલકો દ્વારા લઘુત્તમ દર પ્રમાણે પગાર ચુકવાતો નથી., અમને જે પગાર આપવામાં આવે છે જે ધારાધોરણો પ્રમાણે ઓછો છે અને અમારૂં આ બાબતે શોષણ કરવામાં આવે છે. તેથી અમારી માંગણી છે કે, પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવેલા લઘુત્તમ દરો મુજબ અમને પગાર ચુકવવામાં આવે. ઉપરાંત કંપનીમાં કામ કરતી પાંચ જેટલી છોકરીઓને કાઢી મુકવામાં આવેલ છે જેઓને તાત્‍કાલિક ફરી નોકરી ઉપર લેવામાં આવે. કામદારોના જણાવ્‍યાપ્રમાણે અમે તમામ ત્રણ વર્ષ કરતા વધુ સમયથી નોકરી કરી રહ્યા છીએ, છતાંપણ નિયમો મુજબ અમને પગાર કે પી.એફ. આપવામાં આવતું નથી, તેથી જ્‍યાં સુધી અમારી માંગ પુરી નહિ થાય ત્‍યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે.

Related posts

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

vartmanpravah

કોળી સમાજના દિગ્‍ગજ આગેવાન મનુભાઈ ચાવડાની અખિલ ભારતીય કોળી સમાજના રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે ફરી વરણી

vartmanpravah

દાનહમાં ૦૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ દમણમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah

વાપી જીઆઈડીસીની જય ફાઈન કેમિકલ કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહના અંતરિયાળ ગામડાંઓના લોકો પાણી માટે નદી, ખનકી, ટેન્‍કરના ભરોસે

vartmanpravah

વાપી છીરી જ્ઞાનગંગા સ્‍કૂલમાં તુલસી પૂજન કાર્યક્રમ યોજાયો: 1000 ઉપરાંત વિદ્યાર્થીઓએ આસ્‍થા સાથે તુલસી પૂજન કર્યું

vartmanpravah

Leave a Comment