April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાનહઃ ઉમરકૂઈ સ્‍થિત યુ.ડી.ફાર્મા રબર પ્રોડક્‍ટ્‍સ કંપનીના કામદારો પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા

પ્રશાસન દ્વારા અગાઉ પણ લઘુત્તમ વેતન દરો નહીં ચુકવતી કંપનીઓ સામે કડક પગલાં ભરવાની ચિમકીઓ આપી હતી, પરંતુ ચિમકીઓ ફક્‍ત કાગળ ઉપર જ હોવાની થઈ રહેલી પ્રતિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : ગુજરાતના વલસાડ અનેમહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સાડાત્રણ હજાર કરતા વધુની સંખ્‍યામાં નાના-મોટા ઉદ્યોગો આવેલા છે. જેમાં હજારોની સંખ્‍યામાં કામદારો કામ કરી પેટિયું રળતા હોય છે. પરંતુ કેટલાક કંપની સંચાલકો દ્વારા કામદારોને લઘુત્તમ વેતન દરો નહીં ચુકવાતા હોવાની ફરિયાદો છાશવારે ઉઠતી રહે છે અને છેલ્લે કામદારો હડતાળનું શસ્ત્ર ઉગામતા હોય છે. તેની કડીમાં આજે ઉમરકૂઈ ગામ ખાતે આવેલ યુ.ડી.ફાર્મા રબર પ્રોડક્‍ટ્‍સ કંપની સંચાલકો દ્વારા કામદારોને નિર્ધારિત લઘુત્તમ વેતન દર પ્રમાણે પગાર નહીં ચુકવાતો હોવાના મુદ્દે અને કંપનીમાં નોકરી કરતી પાંચ યુવતિઓને કાઢી મુકવા બાબતે કામદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે.
કામદારોના જણાવ્‍યા પ્રમાણે અમને કંપની સંચાલકો દ્વારા લઘુત્તમ દર પ્રમાણે પગાર ચુકવાતો નથી., અમને જે પગાર આપવામાં આવે છે જે ધારાધોરણો પ્રમાણે ઓછો છે અને અમારૂં આ બાબતે શોષણ કરવામાં આવે છે. તેથી અમારી માંગણી છે કે, પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવેલા લઘુત્તમ દરો મુજબ અમને પગાર ચુકવવામાં આવે. ઉપરાંત કંપનીમાં કામ કરતી પાંચ જેટલી છોકરીઓને કાઢી મુકવામાં આવેલ છે જેઓને તાત્‍કાલિક ફરી નોકરી ઉપર લેવામાં આવે. કામદારોના જણાવ્‍યાપ્રમાણે અમે તમામ ત્રણ વર્ષ કરતા વધુ સમયથી નોકરી કરી રહ્યા છીએ, છતાંપણ નિયમો મુજબ અમને પગાર કે પી.એફ. આપવામાં આવતું નથી, તેથી જ્‍યાં સુધી અમારી માંગ પુરી નહિ થાય ત્‍યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે.

Related posts

સંઘપ્રદેશમાં કેવડા ત્રીજ વ્રત નિમિત્તે મહિલાઓએ પૂજા-અર્ચના કરી

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયતના વેલકમ ગેટ સ્‍થિતરાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

વલસાડ કુંડી ફાટકમેનની સમય સૂચકતાથી મુંબઈ-ઈન્‍દોર એક્‍સપ્રેસ ટ્રેનની મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

ચીખલીના ઘેજ ગામે હનુમાનજી મંદિર તરફ જતા માર્ગના નવીનીકરણનો પ્રારંભ કરાતા સ્‍થાનિકોમાં ખુશીની લહેર

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તા.13 થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણના દરેક ઉદ્યોગોની ઈમારત ઉપર તિરંગો લહેરાશેઃ ડીઆઈએની બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે NPCIL DAE આઈકોનિક વીકની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment