March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાનહઃ ઉમરકૂઈ સ્‍થિત યુ.ડી.ફાર્મા રબર પ્રોડક્‍ટ્‍સ કંપનીના કામદારો પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા

પ્રશાસન દ્વારા અગાઉ પણ લઘુત્તમ વેતન દરો નહીં ચુકવતી કંપનીઓ સામે કડક પગલાં ભરવાની ચિમકીઓ આપી હતી, પરંતુ ચિમકીઓ ફક્‍ત કાગળ ઉપર જ હોવાની થઈ રહેલી પ્રતિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : ગુજરાતના વલસાડ અનેમહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં સાડાત્રણ હજાર કરતા વધુની સંખ્‍યામાં નાના-મોટા ઉદ્યોગો આવેલા છે. જેમાં હજારોની સંખ્‍યામાં કામદારો કામ કરી પેટિયું રળતા હોય છે. પરંતુ કેટલાક કંપની સંચાલકો દ્વારા કામદારોને લઘુત્તમ વેતન દરો નહીં ચુકવાતા હોવાની ફરિયાદો છાશવારે ઉઠતી રહે છે અને છેલ્લે કામદારો હડતાળનું શસ્ત્ર ઉગામતા હોય છે. તેની કડીમાં આજે ઉમરકૂઈ ગામ ખાતે આવેલ યુ.ડી.ફાર્મા રબર પ્રોડક્‍ટ્‍સ કંપની સંચાલકો દ્વારા કામદારોને નિર્ધારિત લઘુત્તમ વેતન દર પ્રમાણે પગાર નહીં ચુકવાતો હોવાના મુદ્દે અને કંપનીમાં નોકરી કરતી પાંચ યુવતિઓને કાઢી મુકવા બાબતે કામદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે.
કામદારોના જણાવ્‍યા પ્રમાણે અમને કંપની સંચાલકો દ્વારા લઘુત્તમ દર પ્રમાણે પગાર ચુકવાતો નથી., અમને જે પગાર આપવામાં આવે છે જે ધારાધોરણો પ્રમાણે ઓછો છે અને અમારૂં આ બાબતે શોષણ કરવામાં આવે છે. તેથી અમારી માંગણી છે કે, પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવેલા લઘુત્તમ દરો મુજબ અમને પગાર ચુકવવામાં આવે. ઉપરાંત કંપનીમાં કામ કરતી પાંચ જેટલી છોકરીઓને કાઢી મુકવામાં આવેલ છે જેઓને તાત્‍કાલિક ફરી નોકરી ઉપર લેવામાં આવે. કામદારોના જણાવ્‍યાપ્રમાણે અમે તમામ ત્રણ વર્ષ કરતા વધુ સમયથી નોકરી કરી રહ્યા છીએ, છતાંપણ નિયમો મુજબ અમને પગાર કે પી.એફ. આપવામાં આવતું નથી, તેથી જ્‍યાં સુધી અમારી માંગ પુરી નહિ થાય ત્‍યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે.

Related posts

નાની દમણના ટેક્ષી સ્‍ટેન્‍ડના પાછળના ભાગમાં એકાદ સપ્તાહથી ફરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો

vartmanpravah

દાનહના ઔદ્યોગિક એકમોમાં વધી રહી છે દુર્ઘટનાઓની સંખ્‍યાઃ ફેક્‍ટરી ઈન્‍સ્‍પેક્‍ટરની કાર્યશૈલી પર ઉઠી રહ્યા છે સવાલો

vartmanpravah

વાપી રેલવે ઓવરબ્રિજ ઉપર રિક્ષા અને ટેમ્‍પો વચ્‍ચે અકસ્‍માત : એક ઘાયલ : કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો

vartmanpravah

નાણાં, ઊર્જા પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી ન.પા.ના ડુંગરા ખાતે પીવાના પાણીની પાઈપલાઈન નાંખવાનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નીતિ આયોગના ઉપાધ્‍યક્ષ સુમન કે. બેરી સાથે પ્રદેશના વિકાસ માટે કરેલું મનન-મંથન

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં સંઘપ્રદેશના આઈ.ટી., દૂરસંચાર અને ગુજરાત- એલ.એસ.એ. ભારત સરકારના સહયોગથી સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, દમણના ઓડિટોરિયમમાં યોજાયું 5G સંમેલન

vartmanpravah

Leave a Comment