March 2, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારમાં ડ્રોન વડે સર્વેની કામગીરી શરૂ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના દિશા-નિર્દેશ અનુસાર કેન્‍દ્રીય પંચાયતી રાજ મંત્રાલય યોજના અંતર્ગત સ્‍વામીત્‍વ સ્‍કીમ અંતર્ગત રાંધા પટેલાદના બે ગામો બોનતા અને નાના રાંધાના ગામતળ વિસ્‍તારમાં ડ્રોન દ્વારા સર્વે કરવામાઆવ્‍યું હતું અને ચુના માર્કિંગ કરવામા આવ્‍યું હતું.
આ સ્‍વામિત્‍વ યોજનાથી ગામતળ વિસ્‍તારના લોકોને લાભ થશે જેવા કે દરેક ગામના દરેક ઘર માલિકને પોતાના ઘરનો નકશો એની સાથે અલગથી પ્રોપર્ટી કાર્ડ આપવામા આવશે.
આ પ્રોપર્ટીકાર્ડથી અત્‍યાર સુધીમા જે ઘર માલિક પાસે ઘરનો કોઈ રેકોર્ડ કે પ્રમાણ ન હતુ તેવા લોકોનો આ પ્રોપર્ટી કાર્ડ બનવાથી એક સત્તાવાર સરકારી રેકોર્ડ બનશે. આ પ્રોપર્ટીકાર્ડ મળવાથી ઘરમાલિક લોનની સુવિધા પણ પ્રાપ્ત કરી શકશે. આ સર્વે દરમ્‍યાન મામલતદાર શ્રી ટી.એસ.શર્મા અને ડ્રોન સર્વેની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

વલસાડ ખાતે 400 મીટરના વિશાળ તિરંગા સાથે ભવ્‍ય તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય ડિસ્‍લેક્‍સિયા જાગૃતિ મહિનાના અવસરે દમણના લાઇટ હાઉસને લાલ રંગથી પ્રકાશિત કરાયો

vartmanpravah

ધરમપુર તાલુકાની શાળાકીય રમતોત્‍સવમાં નાની વહીયાળ હાઈસ્‍કૂલનો ડંકો

vartmanpravah

‘બટેંગે તો કટેંગે’ના સૂત્રનો છેદ ઉડાડતી ટુકવાડા અવધ યુટોપિયાની ઉચ્‍ચ વર્ણની ભારતી શાહ

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાલીઓને જાગૃત કરાયા

vartmanpravah

વલસાડમાં તોફાની વરસાદ સાથે વિજળી પડી

vartmanpravah

Leave a Comment