Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારમાં ડ્રોન વડે સર્વેની કામગીરી શરૂ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના દિશા-નિર્દેશ અનુસાર કેન્‍દ્રીય પંચાયતી રાજ મંત્રાલય યોજના અંતર્ગત સ્‍વામીત્‍વ સ્‍કીમ અંતર્ગત રાંધા પટેલાદના બે ગામો બોનતા અને નાના રાંધાના ગામતળ વિસ્‍તારમાં ડ્રોન દ્વારા સર્વે કરવામાઆવ્‍યું હતું અને ચુના માર્કિંગ કરવામા આવ્‍યું હતું.
આ સ્‍વામિત્‍વ યોજનાથી ગામતળ વિસ્‍તારના લોકોને લાભ થશે જેવા કે દરેક ગામના દરેક ઘર માલિકને પોતાના ઘરનો નકશો એની સાથે અલગથી પ્રોપર્ટી કાર્ડ આપવામા આવશે.
આ પ્રોપર્ટીકાર્ડથી અત્‍યાર સુધીમા જે ઘર માલિક પાસે ઘરનો કોઈ રેકોર્ડ કે પ્રમાણ ન હતુ તેવા લોકોનો આ પ્રોપર્ટી કાર્ડ બનવાથી એક સત્તાવાર સરકારી રેકોર્ડ બનશે. આ પ્રોપર્ટીકાર્ડ મળવાથી ઘરમાલિક લોનની સુવિધા પણ પ્રાપ્ત કરી શકશે. આ સર્વે દરમ્‍યાન મામલતદાર શ્રી ટી.એસ.શર્મા અને ડ્રોન સર્વેની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

જિલ્લા પંચાયત અને વેટરનરી વિભાગના સહયોગથી દમણ ન.પા.એ રખડતા ઢોરોને પકડવા હાથ ધરેલા અભિયાનમાં 70 જેટલા પશુઓને પકડી કચીગામ ગૌશાળા ખાતે મોકલાયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 30 વર્ષમાં કયા આદિવાસી પરિવારે અબજો રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે ?

vartmanpravah

દાનહમાં 07 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

સરીગામને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા સરપંચએ હાથ ધરેલી કવાયત સાથે પ્રદૂષણ મુક્‍ત કરવા સરીગામ વાસીઓમાં ઉઠેલી માંગ

vartmanpravah

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સંઘપ્રદેશ ભાજપે વિકાસલક્ષી ગણાવ્‍યું

vartmanpravah

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

vartmanpravah

Leave a Comment