Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-નરોલીની કંપનીના રૂમમાં કર્મચારીને એટેક આવતા સારવાર દરમ્‍યાન મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18
દાદરા નગર હવેલીના નરોલી ગામે આવેલ એક કંપનીના રૂમની અંદર જ કામદારની તબિયત બગડતા તાત્‍કાલિક સારવાર માટે હોસ્‍પિટલમાં લઇ જવામા આવ્‍યો હતો. જ્‍યાં સારવાર દરમ્‍યાન એનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર વિવેક પોલીમર કુંભારવાડી નરોલી ખરડપાડા કંપનીના પરિસરમાં આવેલ રૂમમા રહેતા ધરમચંદ રાધેશ્‍યામ પાઠક (ઉ.વ.51, મુળ રહેવાસી યુપી) જે સવારે દૈનિક ક્રિયા પતાવી સ્‍નાન કરીને રૂમમા બેઠો હતો. ત્‍યારે અચાનક એની તબિયત બગડતા આજુબાજુના રૂમમાં રહેતા અને કંપની સંચાલકો દ્વારા ધરમચંદને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં લઈ ગયા હતા. જ્‍યાંફરજ પરના ડોકટરે ધરમચંદને એટેક આવ્‍યો હોવાનુ જણાવ્‍યુ હતુ. જેનું સારવાર દરમ્‍યાન મોત થયુ હતુ. નરોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વલસાડ જિલ્લામાં તા.13મીએ યોજાનારી બિન સચિવાલય ક્‍લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્‍ટન્‍ટની પરીક્ષામાં 16314 ઉમેદવારો પરીક્ષા આપશે

vartmanpravah

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

સેલવાસ કલાકેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રીય પંચાયત પુરસ્‍કાર અંતર્ગત જિલ્લા સ્‍તરીય પુરસ્‍કાર સમારંભનું કરાયેલું આયોજન

vartmanpravah

નાની દમણના મશાલ ચોક ખાતે વેટરનરી હોસ્‍પિટલની સામે આવેલ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરના નવનિર્માણના કાર્યનો 26મી જાન્‍યુ.થી થનારો આરંભ

vartmanpravah

પૈસાની લેતીદેતીમાં ઓરવાડ ખાતે મારામારી

vartmanpravah

સરીગામ જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે માથે ભમતું મોતઃ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગની બલિહારી

vartmanpravah

Leave a Comment