Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલીમાં ટ્રક ચાલકે માનવતા મહેકાવી રસ્‍તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે સંપર્ક કરી માલિકને પરત કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.18
ચીખલીમાં એક ટ્રક ચાલકે માનવતા મહેકાવી રસ્‍તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે સંપર્ક કરી માલિકને પરત કર્યું હતું. સમરોલીના કોકો પટેલ પર્સમાં રાખેલ વિઝીટિંગ કાર્ડ અને મા-બાપની તસ્‍વીર અને ટ્રક ચાલકની માનવતાને પગલે પર્સ શી સલામત મળ્‍યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ ચીખલીમાં વાય.એન.ધાનાણી રોડ બિલ્‍ડર્સનો ટ્રક ચાલક સંજયસિંહ બળવંતસિંહ પરમાર (મૂળ રહે.કુકેરી તા.ચીખલી) રવિવારના રોજ સવારના સમયે ટ્રક લઈને ધોલાઈ બંદર તરફ જઇ રહ્યા હતા.તે સમય દરમ્‍યાન ચીખલી-બીલીમોરા માર્ગ ઉપર મજીગામની સીમમાંટ્રકમાં પંકચર થતા ઉભી રાખી હતી. તે સમયે રસ્‍તાની બાજુમાંથી એક પર્સ તેમને નજરે પડતા તેમાં વિવિધ બેંકના ત્રણેક જેટલા એટીએમ કાર્ડ,રોકડ રકમ અને અન્‍ય ડોકયુમેન્‍ટ હતા. આ પર્સમાં એક મીડિયા કર્મીનો વિઝીટિંગ કાર્ડ અને ફોટો મળી આવતા તેના આધારે આ ટ્રક ચાલક સંજયસિંહ પરમારે આ પર્સના માલિકનો સમરોલીના જીગર પટેલ ઉર્ફે કોકોનો સંપર્ક કરી સહી સલામત પર્સ પરત કરી આ ટ્રક ચાલકે માનવતા મહેકાવી હતી.
કોકો પટેલ પણ પર્સ ખોવાઈ જતા એક સમયે ચિંતાગ્રસ્‍ત થઈ એટીએમ કાર્ડ બ્‍લોક કરાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે પર્સમાં નજીકના વ્‍યક્‍તિનો વિઝીટિંગ કાર્ડ અને પિતા શંકરભાઈ ગેરેજવાલા અને માતા સવિતાબેનનો સયુંકત તસ્‍વીર રાખી હતી. માતા-પિતા પ્રત્‍યેનો લગાવ ફળ્‍યો હતો. આમ તો આજના યુવાનો ખાસ કરીને મા-બાપની તસ્‍વીર પર્સમાં ભાગ્‍યે જ રાખતા હોય છે. કોકોને માતા-પિતાની તસ્‍વીરથી અને ટ્રક ચાલકની માનવતાને પગલે પર્સ સહી સલામત પરત મળ્‍યું હતું.

Related posts

દાનહના મસાટ-સામરવરણીથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપાયો

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દમણઃ કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘બેટી સુરક્ષા-બેટી શિક્ષા’ વિષય ઉપર યોજાયેલો સ્‍વ જાગૃતિ કાર્યક્રમ

vartmanpravah

જી.ઍચ.સી.ઍલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા ઈ.ડી.આઈ.આઈ સંસ્થા દ્વારા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યકમ યોજાયો

vartmanpravah

પારડીમાં તિરંગા બાઈક રેલી યોજાઈ : આઝાદીના 75માં વર્ષની ઊજવણીમાં યુવાધન હિલોળે ચઢયું

vartmanpravah

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ. યુ.પટેલની સંતકબીર એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

Leave a Comment