October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેવકા બીચ રોડ સહિતના વિકાસ કામોનો કરેલો સર્વેઃ સમયમર્યાદામાં ગુણવત્તા સાથે પૂર્ણ કરવા નિર્દેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સૂચિત સંઘપ્રદેશની મુલાકાતને યાદગાર અને સફળ બનાવવા માટે તેજ બનેલી પ્રશાસનિક કવાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સૂચિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની મુલાકાતના પગલે પ્રશાસન નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા માટે પોતાની એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે દેવકા બીચ રોડનું પ્રશાસનિક અધિકારીઓની ટીમ સાથે સર્વે કર્યો હતો. તેમણે દેવકા બીચ ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોનું પણ નિરીક્ષણ કર્યું હતું.
સેન્‍ડી રિસોર્ટથી છપલી શેરી સુધીના બીચ રોડ તથા અન્‍ય વિકાસ કાર્યોનું સર્વે કરી નિર્માણ કાર્યમાં ગુણવત્તાની સાથે ઝડપ લાવવા માટે કોન્‍ટ્રાક્‍ટરો અને અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની મુલાકાતને અત્‍યંત સફળ અને યાદગાર બનાવવા માટે પોતાના તમામ શ્રેષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે અને મુલાકાત દરમિયાન કોઈપણ પ્રકારનીત્રુટિ કે ક્ષતિ નહીં રહી જાય તેની તકેદારી પણ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહી છે.
આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવ, બાંધકામ સચિવ શ્રી રવિ ધવન, બાંધકામ વિભાગના વિશેષ સચિવ શ્રી સૌરભ મિશ્રા, જાહેર બાંધકામ વિભાગના ચીફ એન્‍જિનિયર શ્રી બજરંગ વારલી સહિત અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

થર્ટી ફર્સ્‍ટને લઈ પોલીસ અને બુટલેગરો વચ્‍ચે લાગી હોડ: 3 લાખના દારૂ સહિત 8 લાખના મુદ્દામાલ સાથે રીઢા ગુનેગારને દબોચતી વલસાડ એલસીબી

vartmanpravah

સેલવાસની બીએસએનએલ ઓફિસમાં શોર્ટસર્કિટથી આગ લાગવાથી સામગ્રી બળીને ખાક

vartmanpravah

પારનેરા ડુંગર કાળીકા, ચંડીકા અને નવદુર્ગા મંદિરમાં તસ્‍કરો ઘરેણા અને દાનપેટી ચોરી ગયા

vartmanpravah

ધરમપુરના હનુમતમાળ ખાતે ‘‘બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત કિશોરી મેળો યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકા ભાજપ દ્વારા પુરગ્રસ્‍તો માટે 1પ00 અનાજની કિટ અને 1700 ફૂટ પેકેટોનું વિતરણ કરાયું

vartmanpravah

દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે બજાવેલો રાજધર્મઃ અન્‍ય સરપંચો માટે પણ પ્રેરણારૂપ

vartmanpravah

Leave a Comment