Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદેશ

દમણ રાણા સમાજ દ્વારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને ખંભાત ખાતે રામનવમી શોભાયાત્રા અસામાજિક તત્‍વો દ્વારા કરાયેલા હુમલામાં જ્ઞાતિના થયેલા અકાળ અવસાનનો વિરોધ નોંધાવવા આવેદન પત્ર અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.18
દમણ રાણા સમાજ દ્વારા પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલને ખંભાત ખાતે રામનવમી શોભાયાત્રા દરમિયાન હિંદુ સમાજના રાણા જ્ઞાતિના વડીલનું અસામાજિક તત્‍વો દ્વારા કરવામાં આવેલ હુમલા દરમિયાન અકાળ અવસાનનો વિરોધ નોંધાવવા આવેદન પત્ર આપવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર તા.10 એપ્રિલ 2022, રામનવમીના રોજ સમગ્ર ભારતમાં પ્રભુશ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગુજરાતના ખંભાત ખાતે પણ રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પરંતુ એ યાત્રા દરમિયાન અસામાજિક તત્‍વો દ્વારા હુમલો કરવામાં આવતા હિન્‍દૂ સમાજના રાણા જ્ઞાતિના વડીલ બંધુ સ્‍વ. કનૈયાલાલ રતિલાલ રાણા (57 વર્ષ) નું અકાળે અવસાન થયું હતું.
આ અંગે સમગ્ર હિન્‍દૂ સમાજમાં રોષનું વાતાવરણ વ્‍યાપી ગયું હતું, જે હેતુ શ્રી દમણ રાણા સમાજ દ્વારા આજરોજ દમણના પ્રશાસકશ્રીને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્‍યું હતું. આ સાથે શ્રી દક્ષિણ ઝોન રાણા સમાજ પણ જોડાયું હતું અમે એમના દ્વારા પણ પ્રશાસક શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્‍યું હતું. સાથે સાથે સરકારશ્રીને આવેદન પત્ર મારફત આવા તત્‍વો વિરુદ્ધ દંડાત્‍મક કાર્યવાહીની માંગણી પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી દક્ષિણ ઝોન રાણા સમાજના પ્રમુખશ્રી શ્રી દીપકભાઈ રાણાતેમજ હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. દમણ રાણા સમાજ તરફથી પ્રમુખશ્રી શ્રી હર્ષદભાઈ રાણાની આગેવાનીમાં મોટી સંખ્‍યામાં યુવામિત્રો, પદાધિકારીઓ તેમજ સમાજના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વંકાસ ભિલાડ સંજાણ રોડ ઉપરથી તલાસરીની દસ વર્ષની બાળકીની મળી આવેલી લાશ

vartmanpravah

પારડી પોલીસનો એક્‍સન પ્‍લાન ખીલી ઉઠ્‍યો: થર્ટી ફર્સ્ટની પૂર્વ રાત્રી દરમ્‍યાન 118 જેટલા મદિરા ના શોખીનો જેલ ભેગા: સમગ્ર રાત્રી દરમ્‍યાન પરિવારજનોનો મેળાવડો

vartmanpravah

પારડી ભેસલાપાડામાં ખોટી નંબર પ્‍લેટ કારમાં લગાવીને કથિત ગૌમાંસ હેરાફેરી કરતો એક ઝડપાયો : બે ફરાર

vartmanpravah

સેલવાસ સ્‍ટેડીયમ ખાતે ઉત્તર ભારતીય ક્રિકેટ લીગ સીઝન-2નો શુભારંભ

vartmanpravah

જિલ્લા શાળાકીય એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધામાં નાની વહીયાળ સ્‍કૂલના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત દાદરા પંચાયતમાં સરપંચ સુમિત્રાબેન પટેલની અધ્‍યક્ષતામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment