April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા થતું કામદારોનું શોષણ : પ્રદેશ ભાજપ મહામંત્રી મનિષ દેસાઈએ શ્રમ અધિકારીને પાઠવેલું આવેદન પત્ર

સબંધિત કંપનીઓ અને કોન્‍ટ્રાકટરો સામે કાનૂની કાર્યવાહી અંગે કરેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
દાદરા નગર હવેલીમાં મોટી સંખ્‍યામાં ઉદ્યોગો સ્‍થાપિત છે જેમા કેટલીક કંપનીઓમા લેબર કોન્‍ટ્રાકટરના નામે આદિવાસીઓનું શોષણ કરવામા આવી રહ્યુ છે. લેબર કોન્‍ટ્રાકટર દ્વારા મજૂરો પાસે બાર કલાક કામ કરાવી આઠ કલાકનું જ મહેનતાણુ આપવામા આવે છે. જેમા પેકીંગ અને હમાલી કામ માટે રાખવામા આવેલ મજૂરોને પણ સ્‍કીલ વર્કરોનું કામ લેવામા આવે છે.
સરકારી નિયમ અનુસાર મજૂરોને મળતો લાભ પીએફ જેવા લાભથી વંચિત રાખવામા આવી રહ્યા છે. સ્‍કીલ લેબર કામ કરવાવાળા કામગારોને વેતનથી વંચિત રાખવામા આવી રહ્યા છે. મજુરોનું શોષણ જેવા આ તમામ સમસ્‍યાને લઈ દાનહ ભાજપાના મહામંત્રી શ્રી મનિષ દેસાઈએ શ્રમ અધિકારીને આવેદન પત્ર આપી સબંધિત કંપનીઓ અથવા તેઓના આધિન કામ કરનાર શ્રમિક કોન્‍ટ્રાકટર પર કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Related posts

દાનહ અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન માટે ઉચ્‍ચ સ્‍તરે કવાયત થઈ રહી હોવાનો પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે આપેલો સંકેત

vartmanpravah

વલસાડના ઓવાડાના સોલંકી પરિવારને ડૉ. આંબેડકર આવાસ યોજનાથી મળ્‍યો નવો આશરો

vartmanpravah

દાનહ વન વિભાગ ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરશે

vartmanpravah

દમણવાડાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં ‘‘ભારતીય ભાષા ઉત્‍સવ”નું થયું સમાપનઃ વિદ્યાર્થીઓને ઈનામો વિતરીત કરાયા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

કપરાડાના હુડા ગામે ઘાટ ચઢતા ટ્રક પલટી મારી જતા ક્‍લિનરનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

Leave a Comment