(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : દાદરા નગર હવેલીના નરોલી ખાતે હાઈટેન્શન લાઈનના નીચે રહેઠાણ માટે કરેલા બાંધકામના લીધે ઘણાં લોકોના જાન ઉપર જોખમ તોળાઈ રહ્યું હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક છતના ઉપરથી નીકળી રહેલ હાઈટેન્શન લાઈનની ચપેટમાં આવવાથી એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. આ પ્રકારની ઘટનાનું દાદરા નગર હવેલીમાં પુનરાવર્તન નહીં થાય તે માટે તંત્રએ સાવધાની રાખવી જરૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.