June 13, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના ગૃહ મંત્રાલયે કરેલો આદેશ: દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ અને હાયર એજ્‍યુકેશન સચિવ સલોની રાયની લક્ષદ્વીપ બદલી

  • પ્રદેશના ડીઆઈજી વિક્રમજીત સિંઘની દિલ્‍હી અને સેલવાસના એસ.પી. વી.એસ.હરેશ્વરની લક્ષદ્વીપ બદલી

  • 2016 બેચના આઈ.એસ. અધિકારી અક્‍સર અલીની લક્ષદ્વીપથી દાનહ પ્રશાસનમાં અને 2006 બેચના આઈ.પી.એસ. અધિકારી શ્રી ડુમ્‍બેરે મિલિંદ મહાદેવની પુડ્ડુચેરીથી દાનહ અને દમણ-દીવ માટે બદલી

  • દમણ અને દાનહના કલેક્‍ટર તરીકે નેત્રદીપક બજાવેલી કામગીરીથી ડો. રાકેશ મિન્‍હાસ હંમેશા યાદ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 39 આઈ.એ.એસ. અને 42 આઈ.પી.એસ.અધિકારીઓની કરેલી બદલીમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ફરજબજાવી રહેલા આઈ.એ.એસ અધિકારી ડો.રાકેશ મિન્‍હાસ અને શ્રીમતી સલોની રાયની બદલી લક્ષદ્વીપ કરવાનો આદેશ જારી થયો છે. જ્‍યારે આઈ.પી.એસ. અધિકારી શ્રી વિક્રમજીત સિંઘને દિલ્‍હી અને વી.એસ. હરેશ્વરને લક્ષદ્વીપ બદલી કરાઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લક્ષદ્વીપથી આઈ.એ.એસ. અધિકારી શ્રી અકસર અલી દાનહ અને દમણ-દીવ તથા 2006 બેચના આઈ.પી.એસ. અધિકારી શ્રી ડુંમ્‍બેરે મિલિંદ મહાદેવને પુડ્ડુચેરીથી દાનહ અને દમણ-દીવ માટે બદલી કરાઈ છે. ર010 બેચના આઈ.પી.એસ. અધિકારી શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાને દિલ્‍હીથી દાનહ અને દમણ-દીવમાં ખસેડવામાં આવ્‍યા છે.
ડો. રાકેશ મિન્‍હાસે દમણ અને દાનહના કલેક્‍ટર તરીકે પોતાની એક આગવી છાપ ઉભી કરી હતી. કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના પ્રશાસક તરીકે પણ શ્રી પ્રફુલભાઈ પટેલ હોવાના કારણે ડો. રાકેશ મિન્‍હાસ અને શ્રીમતી સલોની રાયની જવાબદારીમાં પણ વધારો થશે.

Related posts

નવી દિલ્‍હીમાં ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનના કન્‍વીનર અને સહ કન્‍વીનરની બેઠકમાં દાનહ અને દમણ-દીવનું વાસ્‍તવિક ચિત્ર રજૂ કરતા વરિષ્‍ઠ ભાજપ નેતા જીતુ માઢાઃ પ્રદેશની બંને બેઠકો ઉપર વિજય મેળવવા પ્રગટ કરેલો વિશ્વાસ

vartmanpravah

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ૪૨૮ લાભાર્થીઓએ ગૃહપ્રવેશ કર્યો

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સામાજીક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દમણના તીન બત્તી નજીક જલારામ મંદિરના પ્રાંગણમાં મહિલાઓએ ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

તલાવચોરામાં કાવેરી નદીના આઝાદી પૂર્વેનો નીચો પુલ પર એપ્રોચ રોડ ઉપર મોટાપાયે માટી પુરાણ કરી કબ્‍જો કરી લેવામાં આવ્‍યો

vartmanpravah

પારડીના કીકરલા ગામે સીયાર ખાડીના ગરનાળામાંથી વૃદ્ધની લાશ મળી

vartmanpravah

વલસાડ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનનો દબદબાભેર પ્રારંભ: નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીમાં 100 ફૂટ ઉંચા તિરંગાનું ધ્વજારોહણ

vartmanpravah

Leave a Comment