-
પ્રદેશના ડીઆઈજી વિક્રમજીત સિંઘની દિલ્હી અને સેલવાસના એસ.પી. વી.એસ.હરેશ્વરની લક્ષદ્વીપ બદલી
-
2016 બેચના આઈ.એસ. અધિકારી અક્સર અલીની લક્ષદ્વીપથી દાનહ પ્રશાસનમાં અને 2006 બેચના આઈ.પી.એસ. અધિકારી શ્રી ડુમ્બેરે મિલિંદ મહાદેવની પુડ્ડુચેરીથી દાનહ અને દમણ-દીવ માટે બદલી
-
દમણ અને દાનહના કલેક્ટર તરીકે નેત્રદીપક બજાવેલી કામગીરીથી ડો. રાકેશ મિન્હાસ હંમેશા યાદ રહેશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.20
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 39 આઈ.એ.એસ. અને 42 આઈ.પી.એસ.અધિકારીઓની કરેલી બદલીમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ફરજબજાવી રહેલા આઈ.એ.એસ અધિકારી ડો.રાકેશ મિન્હાસ અને શ્રીમતી સલોની રાયની બદલી લક્ષદ્વીપ કરવાનો આદેશ જારી થયો છે. જ્યારે આઈ.પી.એસ. અધિકારી શ્રી વિક્રમજીત સિંઘને દિલ્હી અને વી.એસ. હરેશ્વરને લક્ષદ્વીપ બદલી કરાઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લક્ષદ્વીપથી આઈ.એ.એસ. અધિકારી શ્રી અકસર અલી દાનહ અને દમણ-દીવ તથા 2006 બેચના આઈ.પી.એસ. અધિકારી શ્રી ડુંમ્બેરે મિલિંદ મહાદેવને પુડ્ડુચેરીથી દાનહ અને દમણ-દીવ માટે બદલી કરાઈ છે. ર010 બેચના આઈ.પી.એસ. અધિકારી શ્રી રાજેન્દ્ર પ્રસાદ મીણાને દિલ્હીથી દાનહ અને દમણ-દીવમાં ખસેડવામાં આવ્યા છે.
ડો. રાકેશ મિન્હાસે દમણ અને દાનહના કલેક્ટર તરીકે પોતાની એક આગવી છાપ ઉભી કરી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના પ્રશાસક તરીકે પણ શ્રી પ્રફુલભાઈ પટેલ હોવાના કારણે ડો. રાકેશ મિન્હાસ અને શ્રીમતી સલોની રાયની જવાબદારીમાં પણ વધારો થશે.