Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના ગૃહ મંત્રાલયે કરેલો આદેશ: દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ અને હાયર એજ્‍યુકેશન સચિવ સલોની રાયની લક્ષદ્વીપ બદલી

  • પ્રદેશના ડીઆઈજી વિક્રમજીત સિંઘની દિલ્‍હી અને સેલવાસના એસ.પી. વી.એસ.હરેશ્વરની લક્ષદ્વીપ બદલી

  • 2016 બેચના આઈ.એસ. અધિકારી અક્‍સર અલીની લક્ષદ્વીપથી દાનહ પ્રશાસનમાં અને 2006 બેચના આઈ.પી.એસ. અધિકારી શ્રી ડુમ્‍બેરે મિલિંદ મહાદેવની પુડ્ડુચેરીથી દાનહ અને દમણ-દીવ માટે બદલી

  • દમણ અને દાનહના કલેક્‍ટર તરીકે નેત્રદીપક બજાવેલી કામગીરીથી ડો. રાકેશ મિન્‍હાસ હંમેશા યાદ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 39 આઈ.એ.એસ. અને 42 આઈ.પી.એસ.અધિકારીઓની કરેલી બદલીમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ફરજબજાવી રહેલા આઈ.એ.એસ અધિકારી ડો.રાકેશ મિન્‍હાસ અને શ્રીમતી સલોની રાયની બદલી લક્ષદ્વીપ કરવાનો આદેશ જારી થયો છે. જ્‍યારે આઈ.પી.એસ. અધિકારી શ્રી વિક્રમજીત સિંઘને દિલ્‍હી અને વી.એસ. હરેશ્વરને લક્ષદ્વીપ બદલી કરાઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લક્ષદ્વીપથી આઈ.એ.એસ. અધિકારી શ્રી અકસર અલી દાનહ અને દમણ-દીવ તથા 2006 બેચના આઈ.પી.એસ. અધિકારી શ્રી ડુંમ્‍બેરે મિલિંદ મહાદેવને પુડ્ડુચેરીથી દાનહ અને દમણ-દીવ માટે બદલી કરાઈ છે. ર010 બેચના આઈ.પી.એસ. અધિકારી શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાને દિલ્‍હીથી દાનહ અને દમણ-દીવમાં ખસેડવામાં આવ્‍યા છે.
ડો. રાકેશ મિન્‍હાસે દમણ અને દાનહના કલેક્‍ટર તરીકે પોતાની એક આગવી છાપ ઉભી કરી હતી. કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના પ્રશાસક તરીકે પણ શ્રી પ્રફુલભાઈ પટેલ હોવાના કારણે ડો. રાકેશ મિન્‍હાસ અને શ્રીમતી સલોની રાયની જવાબદારીમાં પણ વધારો થશે.

Related posts

વાપી હાઈવે વૈશાલી ચોકડી પાસે પારડી વિધાનસભા વિસ્‍તાર ભાજપ મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકાથી રોયલ્‍ટી પાસ વગરનું સફેદ રેતી ભરેલ ટ્રેલર ખાણ-ખનિજ વિભાગે ઝડપ્‍યું

vartmanpravah

મોટી દમણના ઢોલર ગવર્નર્મેન્ટ ક્વાટર્સ વિસ્તાર પાણીથી બેટમાં રૂપાંતરિતઃ ઢોલર ચાર રસ્તા ઉપર પાણી ફરી વળતાં રાહદારીઓ અને વાહન વ્યવહારને પડેલી અગવડતા

vartmanpravah

મોટી તંબાડી ખાતે 128.9પ લાખના ખર્ચે પાંચ વિકાસકાર્યોના લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરી 

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા- દીવ માં ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની કરવામાં આવીઉજવણી

vartmanpravah

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

vartmanpravah

Leave a Comment