વલસાડ જિલ્લાના પેન્શનરોએ તા.પ મી મે સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે
વલસાડઃતા.૨૨: રાજ્ય સરકારના પેન્શનરો માટે નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા સુરત ઝોન માટે ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ, પહેલો માળ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે તા.૦૪/૦૬/૨૦૨૨ ને શનિવારે બપોરના ૧૨-૦૦ કલાકથી સાંજના ૦૫-૦૦ વાગ્યા દરમિયાન પેન્શન અદાલતનું આયોજન કરાયું છે.
વલસાડ જિલ્લાના પેન્શનરોએ જિલ્લા તિજોરી કચેરી, સેવાસદન-૧-વલસાડ, પેન્શનર સમાજ પાસેથી તથા https://financedepartment.gujarat.gov.in અને https://dat.gujarat.gov.in ઉપરથી નિયત નમુનાનું ફોર્મ મેળવી લઇ તેમાં જરૂરી વિગતો ભરીને તા.૦૫/૦૫/૨૦૨૨ સુધીમાં હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, બ્લોક નં.૧૭ ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગરને મોકલી આપવાની રહેશે. પેન્શનર https://bit.ly/pension-adalat ની લીંકમાં જઇ ગુગલ ફોર્મમાં પણ વિગતો ભરીને ફોર્મ જમા કરાવી શકશે, તેમ જિલ્લા તિજોરી અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.