Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી નેશનલ હાઈવે જલારામ મંદિર સામે મળસ્‍કે ઉભેલી ટેન્‍કરને ટેમ્‍પો ભટકાતા અકસ્‍માતમાં ભીષણ આગ લાગતા ટેમ્‍પો ચાલક ભડથું

ટેન્કરમાં જ્વલનશીલ કેમીકલ ભરેલું હતું તેથી આઈશર ટેમ્પો ધડાકાભેર અથડાતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતીઃ બન્ને વાહનો આગમાં સળગીને ખાખ થયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
વાપી નેશનલ હાઈવે 48 ઉપર જલારામ મંદિર સામે આજે રવિવારે મળસ્‍કે જવલનશીલ કેમીકલ ભરેલી ઉભેલા ટેન્‍કર સાથે પુર ઝડપે આવી રહેલ ટેમ્‍પો ભટકાતાઅકસ્‍માતમાં ભિષણ આગ લાગી હતી. આગમાં ટેમ્‍પો ડ્રાઈવર બળીને ભડથું થઈ ગયો હતો તેમજ બંને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.
વાપી નેશનલ હાઇવે 48 ઉપર જલારામ મંદિર સામે મુંબથી અમદાવાદ જતી ટ્રેક ઉપર આજે મળસ્‍કે ગમખ્‍વાર અકસ્‍માત સજાર્યો હતો. હાઈવે ઉપર સાઈડ કરી પાર્ક કરેલી ટેન્‍કર ઉભી હતી ત્‍યારે પાછળથી પુરઝડપે આવેલ ટેમ્‍પો, ટેન્‍કર સાથે ધડાકાભેર ભટકાયો હતો. ટેન્‍કરમાં જવલનશીલ કેમીકલ ભરેલું હોવાથી ક્ષણમાં આગ ભભૂકી હતી. આગમાં બન્ને વાહનો સપડાઈ ચૂક્‍યા હતા. ટેમ્‍પો ડ્રાઈવર કેબીનમાંજ આગની લપેટમાં ભડથું થઈ ચૂક્‍યો હતો. મળસ્‍કે સાડા ચાર વાગ્‍યાના સુમારે ઘટેલી ઘટનામાં બન્ને વાહનો આગમાં ભડભડ બળી રહેલા દૃશ્‍યો જોઈને આવતા જતા વાહનોની કતાર લાગી ગઈ હતી. બીજી તરફ ઘટનાની જાણ વાપી અને નોટીફાઈડ ફાયરને કરવામાં આવતા ઘટના સ્‍થળે ત્રણ ગાડી ધસી આવી આગ બુઝાવવાની જહેમત આરંભી દીધી હતી. વાપી ટાઉન પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચી ગયો હતો તેમજ ટ્રાફિક જામની કવાયત હાથ ધરી હતી. પોલીસે અકસ્‍માતની વધુ તપાસ હાથ ધરી હતી. મૃત્‍યુ પામનાર ડ્રાઈવરની વિગતો તપાસ બાદ જાણવા મળશે અન્‍ય ઘાયલો સારવાર માટે ખસેડાયા હતા.

Related posts

વલસાડ કાંજણહરી ગામે શરાબ-કબાબની મહેફિલ માણતા સરપંચ-સંઘના પ્રમુખ સહિત 41 ઝડપાયા

vartmanpravah

દાનહના રખોલીમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 17 વર્ષિય કિશોરીએ હાથની નસ કાપી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપીની પેપર મિલમાં વીજ શોક લાગવાથી કામદારનું કરુણ મોત

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ, સર્વ શિક્ષા અભિયાન અને આરોગ્‍ય વિભાગના સંકલનમાં, દમણ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને વિવિધ રીતે વિકલાંગ લોકો માટે બે દિવસીય મૂલ્‍યાંકન શિબિરનું આયોજન

vartmanpravah

કપરાડા પોલીસે કતલખાને લઈ જવાતી 8 જરસી ગાય, ત્રણ વાછરડા ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

ભારત સરકારના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ સંઘપ્રદેશ પ્રશાસનમાં કાર્યરત ત્રણ આઈ.એ.એસ. અને 2 આઈ.પી.એસ. અધિકારીઓની બદલી

vartmanpravah

Leave a Comment